Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના માંડલેંશ્ર્વર મંદિરે શિવરાત્રી નિમિતે મેળો યોજાયો : ભક્તોનું ઘોડાપુર ઉમટયુ

પંકજ પંડિત

ઝાલોદ તાલુકાનનુ હરવા ફરવા તેમજ નદીના કિનારે અને ખુલ્લા વાતાવરણમાં પ્રકૃતિના ખોળામાં આવેલ એક નયનરમ્ય હિંદુઓનું આસ્થાનું પ્રતિક ધામ એટલે પંચમુખી માંડલેશ્ર્વર મહાદેવ મંદિર. આ મંદિરના ચારેય ખૂણામાં દેવતાઓ બિરાજમાન છે. ખૂબ જ જલ્દી આ નયનરમ્ય ધામ ભક્તોના વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનેલ છે.
આજરોજ શિવરાત્રી નિમિતે આ મંદિરે મોટા પ્રમાણમાં ભક્તો સાક્ષાત બિરાજમાન પંચમુખી મહાદેવના દર્શનાર્થે ઉમટી પૂજા અર્ચના કરે છે. આજના દિવસે અહીંયા મેળો યોજાતો હોય છે જેથી મોટા પ્રમાણમાં માનવ મહેરામણ અહીં આવતું હોય છે. આ મેળામાં આવી મહાદેવની પૂજા કરવાનો અનેરો લ્હાવો ભાવિક ભક્તો લેતા હોય છે તેમજ અહીંયા યોજાયેલ મેળામાં વિવિધ ઝૂલા તેમજ વિવિધ વસ્તુઓની ખરીદી પણ કરતા હોય છે.
ત્રિવેણી સંગમ સ્થાને આવેલ આ મંદિરના નદીના કિનારે હરવા ફરવા બોટની પણ વ્યવસ્થા હોવાથી આવેલ લોકો આ બોટિંગનો લ્હાવો પણ લેતા હોય છે. આજના દિવસે ભજનીક ભરતભાઈ બામણીયા, હાસ્ય કલાકાર પ્રકાશ ભરોડીયા, લોક ગાયક કૃષ્ણપાલ બારીયા દ્વારા લોકડાયરાનુ ભાથું ઉમટેલ ભાવિક ભક્તોને પીરસ્યુ હતું. સવારથી જ પંચમુખી માંડલેશ્ર્વર મહાદેવ મંદિરે મોટા પ્રમાણમાં ભાવિક ભક્તો મંદિરે દર્શનાર્થે ઉમટી પડેલ હતા. મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરવા ભાવિક ભક્તોની લાંબી ભીડ લાગી હતી. આ મંદિરે અંદાજીત દસ હજારથી વધુ લોકો આ મંદિરે દર્શનાર્થે આવેલ હતા. આજના દિવસે મંદિરે ભગવાન ભોળાનાથની આંઠો પ્રહરની પૂજા અને હવન પણ કરવામાં આવેલ હતું. મંદિર સમિતિ તરફથી શિવરાત્રી નિમિતે ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

Share

Related posts

આજ રોજ પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા શહેરમા ટ્રાફીક ડ્રાઈવ યોજાયો

gujaratjanekta

વિશ્વ હોમિયોપેથીક દિવસ નિમિત્તે જય જલારામ હોમિયોપેથીક મેડિકલ કોલેજ મોરવા (રેણા) દ્વારા ગોધરા ખાતે ભવ્ય રેલી કાઢવામાં આવી

gujaratjanekta

આર્ટસ કોલેજ, ફતેપુરા ખાતે સિકલ સેલ એનિમિયા માટે સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial