ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
દાહોદ જિલ્લા કલેકટર શ્રી યોગેશભાઈ નિર્ગુડે આજરોજ ફતેપુરા મામલતદાર કચેરીની મુલાકાત લીધેલ હતી કલેક્ટરશ્રી યોગેશ નિર્ગુડે મામલતદાર કચેરીમાં ચાલતી દરેક શાખાઓમાં રૂબરૂ મુલાકાત લીધેલ હતી તેમજ મામલતદાર કચેરીમાં કામકાજ થી આવતા અરજદારોની પણ પૂછપરછ કરી હતી તેમજ એટીવીટી શાખા પુરવઠા શાખા સબરજીસ્ટર શાખા મહેસુલ શાખા મામલતદાર કચેરી માં કાર્યરત તમામ શાખાઓની મુલાકાત લઇ પૂછપરછ કરી હતી તેમજ જરૂરી સલાહ સૂચનો આપેલ હતા સબ રજીસ્ટર કચેરી માં દસ્તાવેજ ની નોંધણી કયા કયા દિવસે થાય છે તેને પ્રજાને જાણકારી મળે તે માટે બોર્ડ મુકવા માટે સૂચન કર્યું હતું ફતેપુરા ઇન્ચાર્જ મામલતદાર ડામોર અને નાયબ મામલતદાર ભાભોર કચેરીની કલેકટર સાહેબ ની મુલાકાત દરમિયાન સાથે રહ્યા હતા

