પંકજ પંડિત
ઝાલોદ શહેરમાં હાલ ટ્રાફિક સમસ્યાને લઇ રોડ પર મૂકેલ વાહનોને મન ફાવે તેમ પોલીસ એક્શન લઇ મેમો આપીને વાહનને ઉપાડી લઇ જાય છે. જેથી ઝાલોદ શહેરમાં નાના મોટા ઓફિસ અર્થે, ખરીદી માટે અને દવાખાનાના કામો માટે ગામડાઓ થી લોકોને આવવું પડતું હોય છે. આ તમામ ગરીબ કે મધ્યમ વર્ગ પોતાના કામ અર્થે જેમ તેમ કરીને પૂરતા પૈસા લઈને આવતા હોય અને ઉભી રાખેલ વાહન રીક્ષા, મોટરસાઈકલ કે અન્ય ગાડીને ગણતરીની મિનિટોમાં પોલીસ વાહનો પર દંડ ફટકારે છે. જેનાથી તમામ વર્ગ વેપારીઓને ધંધામાં માઠી અસર પડે છે અને આમ જનતામાં ભયનો માહોલ સર્જાય છે માટે નગરપાલિકા વિસ્તારમાં પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો સામન્ય લવાજમ ભરીને પોતાના વાહન સેફ મૂકી અને નગરમાં લોકો પોતાનું અંગત કામ કરી શકે અને નગરપાલિકાને પણ આવક થાય એમ છે. તો તાત્કાલિક અને ટુંકા સમયમાં આ સમસ્યાનું નિવારણ લાવવા માટે ઝાલોદ આમ આદમી પ્રમુખ અનિલ ગરાસિયા દ્વારા માંગ કરવામાં આવી હતી.

