પંકજ પંડિત
શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદમાં ઓવરસિઝ એમ્પ્લોયમેન્ટ અને કેરિયર ઇમ્ફોરમેશન અંગે સેમિનાર યોજાયો.
મદદનીશ નિયામક રોજગાર કચેરી વડોદરાના રોજગાર અધિકારી તેમજ ઈ .ચા. દાહોદ જિલ્લા એમ્પ્લોયમેન્ટ ઓફિસર અલ્પેશભાઈ.એલ.ચૌહાણ, મદદનીશ નિયામક રોજગાર કચેરી વડોદરાથી ઓવરસીઝ કરિયર કાઉન્સિલર નિશાંતભાઈ જોશી તથા દાહોદ જિલ્લા રોજગાર કચેરી થી કરિયર કાઉન્સિલર હિરલબેન સલોટ ઉપસ્થિત રહીને પાસપોર્ટ કઢાવવાની પ્રવિધી, દેશ – વિદેશમાં અભ્યાસ અને રોજગારીની તકો, લોન, વિઝા, સેફ એન્ડ લીગલ માઇગ્રેસન અંગે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં કૉલેજના કાર્યકારી આચાર્ય ડૉ.આશિષ મોદી દ્વારા બધાનું સ્વાગત કર્યું હતું તથા ડૉ. અજીતસિંહ પરમાર દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

