પંકજ પંડિત
જય દશામાં વિદ્યા મંદિરના પટ્ટાંગણમાં શૈક્ષણિક વર્ષે 2024-25 વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા મંડળના પ્રમુખ મુકેશભાઈ ડામોર, મંડળના મંત્રી સુમનબેન ડામોર, મેનેજમેન્ટ વિજયભાઈ કાપડિયા, આચાર્ય નીરવસિંહ વાળા, નર્સિંગ કોલેજ ના આચાર્ય કુ. ટ્વિકંલબેન નિસરતા શાળાના શિક્ષકમિત્રો તેમજ વાલીઓ હાજર રહ્યા હતા. જેમાં બાળકોને પડતી તકલિફો તેમજ વાલિઓને વિદ્યાર્થીઓ પ્રત્યેની જાગૃતા અંગે પ્રમુખ, મેનેજમેન્ટ, આચાર્ય, તેમજ શિક્ષકો દ્વારા સૂચનો આપ્યા હતા. તેમજ વાલીઓ દ્વારા શાળામાં તેમજ શિક્ષકોના હકારાત્મકતા સાથે વાલી મીટીંગ સફતા પૂર્વક ચા નાસ્તા સાથે પુર્ણાહુતી કરી હતી.

