ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના છાલોર મુકામે આવેલ આદિવાસી ઉચ્ચતર માધ્યમિક શાળા માં છેલ્લા 35 વર્ષથી શિક્ષક તરીકેની ફરજ બજાવતા રાયસિંગભાઈ કિશોરી વય નિવૃત થતા તેઓનું વિદાય સમારંભ છાલોર ગ્રામ પંચાયતના સરપંચ તેરસિગભાઈ પારગીની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ હતો. નિવૃત થતા શિક્ષકનું સ્ટાફ દ્વારા તેમજ સરપંચ શ્રી દ્વારા ફુલહાર કરી શાળ ઓઢાડી મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ તેમની બાળકોને શિક્ષણ આપવાની કાર્ય પદ્ધતિને ઉપસ્થિત મહાનુભવો બિરદાવી હતી તેઓના વય નિવૃત્ત સમારંભ પછી સામૂહિક ભોજન નું પણ આયોજન સરપંચ શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું વય નિવૃત્ત થતા શિક્ષકને સ્ટાફ ગણ તેમજ શાળાના વિદ્યાર્થીઓ ભારેએ હૈયે વિદાય આપી હતી

