સોલંકી કિશોરસિંહ,
દાહોદ જિલ્લામાં દાહોદ અને ગરબાડાના અનેક પદયાત્રીઓ પગપાળા દાહોદ થી અંબાજી માતાજીના દર્શન અર્થે હર વર્ષે જેમ આ વર્ષે પણ ખુબજ મોટી સંખ્યામાં દાહોદ ,ગરબાડા ગામોના શ્રદ્ધાળુઓ જતા હોય છે, મોટી ખરજના સામાજિક કાર્યકર્તા નયન ખપેડ દ્વારા અંબાજી પદયાત્રા જતા શ્રદ્ધાઓની રોડ સેફટી અંગે ની માહિતી આપવામાં આવી હતી , અને તેમની ટીશર્ટ ઉપર રેડિયમ સ્ટીકર લગાવી લાવવામાં આવ્યા હતા, પગપાળા જતા શ્રદ્ધાળુઓ પદયાત્રીઓ જે રોડની સાઇટ પર થઈ ચાલતા જતા હોય છે, કોઈ કારણસર દાહોદ થી પગપાળા જતા શ્રદ્ધાળુઓ ને એકસીડન્ટ કે કોઈ જાનહાનિ ના થાય તે અંગેના ધ્યાનમાં રાખી તેમની ટીશર્ટો પર, ઝંડા ની લાકડીઓ પર અને છત્રીઓ પર રેડિયમ સ્ટીકર લગાવી આપ્યા હતા દાહોદ તાલુકાના મોટીખરજ ગામના નયન ખપેડ સામાજિક કાર્યકર્તા દ્વારા.

