સોલંકી કિશોરસિંહ,
બાંગ્લાદેશના હિન્દુઓ પર અત્યાચારો થઈ રહ્યા છે તે બંધ કરવા હિન્દુ હીત રક્ષક સમિતિ ઝાલોદ દ્વારા જન આક્રોશ રેલી કાઢવામાં આવી હતી આ રેલીમાં ઝાલોદ નગરજનો, હિંદુ સંગઠનો, હિંદુ વેપારી વર્ગ,અને હિંદઓ જોડાયાં હતાંબાંગ્લાદેશના હિન્દુઓ પર અત્યાચારને લઈને ઝાલોદ નગર હિન્દુ રક્ષક સમિતિ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, જનજાતિ આશ્રમ,દુર્ગા વાહિની, સનાતન ધર્મ સમિતિ, હિન્દુ સમાજના ધર્માચાર્યો અને હિંદુ સમાજના અગ્રણીઓ દ્વારા નગર રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું.જન આક્રોશ રેલીમાં હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
દહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ઝાલોદ ગામમાં હિન્દુ હિત રક્ષક સમિતિ ઝાલોદ દ્વારા જન આક્રોશ રેલીમા જે બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર થતા અત્યાચાર, આગચંપી, લૂંટફાટ અને મહિલાઓ પર થતા અમાનવીય ગુનાઓ બંધ થાય અને બાંગ્લાદેશમા લઘુમતી હિંદુઓ, જેમણે તોફાનોમાં ઘર-દુકાન ગુમાવ્યા છે તેમને બાંગ્લાદેશની સરકારે પુરે પુરી બાંગ્લાદેશમા લઘુમતી હિંદુઓને સુરક્ષા આપવી જોઈએ.હન્દુ હીત રક્ષક સમિતિ ઝાલોદ દ્વારા જન આક્રોશ રેલીમાં સાઈનબોડ, સાથે ઝાલોદ નગરના વિવિદ્ય વિસ્તારોમા આ રેલી નીકળી હતી.ત્યર બાદ ઝાલોદ મામલતદારશ્રીને હિન્દુ હિત રક્ષક સમિતિ ઝાલોદ દ્વારા જન નાક્રોશ રેલી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

