ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
- ફતેપુરા પ્રજાપતિ સમાજ દ્વારા દશ દશ દિવસ સુધી દશામાતાની આરાધના કરીને વ્રતની ઉજવણી કરતા હોય છે ત્યારે દશામાંના વ્રતના આજે દસમો દિવસ હોય દશામાંના આ દસમે દિવસે પ્રજાપતિ સમાજ દ્વારા ફતેપુરા નગરમાં દશામાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે હતી
દશામાતા ના શોભાયાત્રા અંબાજી મંદિર થી શરૂ થઈને પાછલા પ્લોટ વિસ્તારમાં થઈ ઝાલોદ ચોકડી મેન બજાર થઈ પોલીસ સ્ટેશન રોડ થઈ અંબાજીના મંદિરે સમાપન કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના લોકો ધંધા રોજગાર બંધ રાખીને શોભાયાત્રામાં જોડાય હતા દશામાતા ની શોભા યાત્રા બેન્ડ ના તાલે રાસ ગરબાની રમઝટ સાથે ઉત્સાહભેર પુરા ફતેપુરા બજારમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રા ના સમાપન પછી મહાપ્રસાદનો પણ આયોજન કરવામાં આવ્યું હતું

