દાહોદ : ગુજરાત રાજય જયારે ૭૫ મા વન મહોત્સવ ઉજવી રહયુ છે ત્યારે ૧૨ મી ઓગષ્ટના રોજ સવારે ૦૯:૦૦ કલાકે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જવાહર નવોદય વિદ્યાલય ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતા હેઠળ યોજવામાં આવનાર છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર, ધારાસભ્યશ્રી સર્વેની વિશેષ ઉપસ્થિતિ તેમજ વન સંરક્ષકશ્રી વન વર્તુળ, વડોદરા ડો. અંશુમન શર્માની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.

