Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લીમખેડાડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા લીમખેડા ની મુલાકાતે

રમેશ પટેલ

મુલાકાત દરમ્યાન ખુબ મોટો આક્ષેપ દાહોદ ના ફોરેસ્ટ વિભાગ dcf અને એક કાયમી રોજમદાર ની આત્મહત્યા માટે નેતાઓ ખોટુંકામ કરવાનું દબાણ આપતાં આત્મહત્યા કર્યા નો આક્ષેપ

આમ આદમીના બહુ ચર્ચિત અને આદિવાસી નેતા તરીકે ની આગવી ઓળખ ધરાવતા ડેડીયાપાડા ના ધારાસભ્ય લીમખેડાના આમ આદમી પાર્ટીના કાર્યકરોને મળ્યા તે દરમ્યાન આવનાર તાલુકા જિલ્લા ની ચૂંટણી લાડવા તૈયાર રહેવા તેમજ સંગઠન. મજબૂત કરવાની સલાહ આપી અને

ભાજપ પર આક્ષેપ મુકતા જણાવ્યું કે પઢેગા ઇન્ડિયા ના નારા લગાવ નાર ભાજપ ની સરકાર માં દાહોદ ની ૧૦૮ જેટલી શાળા માં ફક્ત એકજ શિક્ષક હોય તેમજ કેલીય શાળામાં બાળકો હજી પણ પતરાના સેડ નીચ અભ્યાસ કરે છે તેમજ ગુજરાત માં ૪૭ જેટલી એકલવ્ય મોડેલ સ્કૂલમાં ગુજરાતી માંધ્મમમાં હિન્દી ભાસી રાજ્ય બહાર ના શિક્ષકો મુકવામાં આવ્યા છે જે ગુજરાતી વાંચી સકતા નથી કે બોલી સકતા નથી તેમજ ૨૭૫ ની કલમ મુજબ ૮૦૦થી ૯૦૦ કરોડ રૂપિયા આદિવાસી વિસ્તારના વિકાસ માટે જે ગ્રાન્ટ આવેલ જેમાંથી અહીંના પંચાયત મંત્રી એ ગીર સોમનાથ ની જલારામ એન્ટરપ્રાઇઝ નામની એજન્સી ને માલ મટીરીલ માટે ફાળવેલ જે એજન્સી ની અહીંયા ઓફિસ પણ નથી કે એક પણ ટ્રક રેતી કપચી નાખ્યા વિના આશરે ૬૦૦ કરોડ જેટલી રકમ ફાળવેલ છે તેમજ નવસારી,અમદાવાદ, અને વડોદરામાં સંદીપ શાહ નામ ની વ્યક્તિની ખોટી એજન્સી ઉભી કરી ખોટી રીતે ૬૦૦ થી ૭૦૦ કરોડ રૂપિયા ચૂકવ્યા છે અને નકલી કચેરી માં ૧૮ કરોડ રૂપિયા ના બૉગ્ગસ કામો તેમજ આદિવાસી ઓ ની ૭૩ડબલ aa ની જમીન ના ખોટા એન -એ ના ઓર્ડર આપી બિલ્ડરો સાથે મળીને બારોબાર જમીન પડાવી લીધી છે આ તમામ માહિતી આવનારી ૨૫ તારીકે દાહોદ મુકામે મળનારી બેઠક માં અમે પુરાવા સાથે રજુ કરીશુ
તેમજ કન્યા કેળવણી અંતરગત જે બાળકો ને સાયકલો આપવામાં આવે છે જે છેલ્લા 2 વર્ષથી આપેલ નથી અને દાહોદ નગર પાલિકામાં કરોડો ની ગ્રાન્ટ આવે છે જે માટે હાલ પૂર્વ પ્રમુખ તેમજ હાલના પ્રમુખ બન્ને ને સરખો નાણાં નો ભાગ ન મળતો હોવાથી હાલમાં નગર પાલિકાના પ્રમુખો લડાઈ કરી રહ્યા હોય એમ લાગે છે. આ તમામ આક્ષેપ ચૈતરવસાવા દવારા ભાજપના નેતાઓ ને ટાર્ગેટ કરીને કરવામાં આવ્યા હતા.

Share

Related posts

દાહોદ જિલ્લાની ઝાલોદ આઇ.ટી આઇ.ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર ગોધરા વિભાગ ગુજરાત એસ.ટી.નિગમની કાયાપલટ:ડેપો મેનેજર

Admin

પંચશીલ એસ.આઈ. કૉલેજ ગોધરાની વિદ્યાર્થીની અમિતાબેન રાઠવાએ પંજાબમાં ઓલ ઇન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી આર્ચરી ટુર્નામેન્ટમાં જીત્યો ગોલ્ડ મેડલ

gujaratjanekta

લેખિકા પ્રાચી વોરાનું “ભગવદ્ ગીતા અને યુવાનો” નામના પુસ્તકનું ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુભાઈ પંડ્યા ના હસ્તે વિમોચન – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial