Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

રેશનકાર્ડ ધારકો ઘરેબેઠા ઓનલાઈન e-KYC કરી શકશે

દાહોદ : ભારત સરકાર ઘ્વારા ૧૦૦ % e-KYC ની કામગીરીને લક્ષમાં રાખીને સદર કામગીરી ઝડપી થાય તે માટે ” રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩” હેઠળ નોંધાયેલા તમામ લાભાર્થીઓ ઘરબેઠા e-KYC કરી શકે તે માટે “Face authentication” આધારીત e-KYC ની સુવિધા માટે “MY Ration App” તૈયાર કરવામાં આવેલ છે. જેને Google Play store પરથી ડાઉનલોડ કરી રેશનકાર્ડની જરૂરી વિગતો નાખી OTP જનરેટ કરવાનું હોય છે. જે સભ્યનું e-KYC ની કરવાનું હોય તેની પસંદગી કરીને હાવભાવ સાથે ચહેરો કેપ્ચર કરવાથી સ્કીન પર આધારકાર્ડની જરૂરી વિગતો દેખાશે. ત્યારબાદ ”મંજુરી માટેની વિગતો મોકલો” ઓપ્શન પર કલીક કરવાથી સદર અરજી સબંધિત પુરવઠા કચેરીને પહોંચી જશે. ત્યારબાદ સદર અરજી મંજુર/ નામંજુર કરવાની કામગીરી સબંધિત મામલતદાર કચેરી ઘ્વારા હાથ ધરવામાં આવશે. ઉપરોકત MY RATION APP દ્વારા કરવામાં આવતી તમામ કામગીરી વિનામુલ્યે થાય છે. જેના માટે કોઈપણ ચાર્જ ચુકવવાનો રહેતો નથી. વધુ માહિતી માટે હેલ્પલાઈન નં.૧૮૦૦-૨૩૩-૫૫૦૦ પર સંપર્ક કરી શકાશે એમ જિલ્લા પુરવઠા અધિકારી, દાહોદ દ્વારા જણાવાયું છે.

Share

Related posts

ફતેપુરા તાલુકામાં SIR ની કામગીરીને લઈ બીએલઓ ની ડોર ટુ ડોર ફોમૅ ભરવાની કામગીરી

gujaratjanekta

વિદ્યાર્થી વિજ્ઞાન મંથનમાં રાષ્ટ્રકક્ષાએ આઇઆઇટી કાનપુર ખાતે ગુજરાતના ત્રણ વિદ્યાર્થીઓ વિજેતા

gujaratjanekta

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ ઝાલોદ નગર ભાજપ પરિવારના લોકો દ્વારા ચંદ્રયાન-3 નું સફળ લેન્ડિંગ થતાં રાષ્ટ્રધ્વજ સાથે આતસબાજી કરી મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરવામાં આવી બાલ હનુમાનજી મંદિરે નગરના લોકો દ્વારા હનુમાનચાલીશાના પાઠ પણ કરવામાં આવ્યા હતા ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગ સાથે ભારતે સફળ સિદ્ધિ હાંસલ કરી હતી. સફળ લેન્ડિંગ લાઇવ નિહાળવાનો અનેરો અવસર થકી ઇતિહાસના સાક્ષી સહુ ભારતવાસી બન્યા હતા. જેમ જેમ ચંદ્રયાન-3 ના લેન્ડીંગનો સમય નજીક આવતો હતો તેમ તેમ સમગ્ર ભારતવાસીઓના ધબકારા વધતા જતા હતા. ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગને સમગ્ર ઝાલોદ નગરના લોકોએ પણ લાઇવ નિહાળ્યું હતું. જેવું ચંદ્રયાન-3 લેન્ડ થયું તેમ સહુ નગરના લોકો ટીવીની સામે નાચી ઝૂમી ઉઠયા હતા. આ સફળતા થી દરેક ભારતીયની છાતી ગર્વ થી ફૂલી ગઈ હતી. ચંદ્રયાન-3 ની સફળતા માટે નગરના લોકો દ્વારા બાલ હનુમાનજી મંદિર ખાતે હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવેલ હતા. ચંદ્રયાન-3 સફળ લેન્ડિંગ થતાંની સાથે ભાજપ પરિવારના સહુ સભ્યોનો ઉત્સાહ સાતમા આસમાને જોવા મળતો હતો. ભાજપ પારિવાના સહુ સભ્યો દ્વારા રાષ્ટ્રધ્વજને હાથમાં લહેરાવી વડબજારમાં ભવ્ય આતસબાજી સાથે ભારતમાતાકી જય સાથે વાતાવરણને ગજવી દીધેલ હતું. ઉપસ્થિત સહુ લોકો દ્વારા આ ભવ્ય સફળતાની ઉજવણી એક બીજાને મીઠાઈ ખવડાવી કરેલ હતી. તેમજ ભાજપ પરિવાર દ્વારા ઇસરોના તમામ વૈજ્ઞાનિકોને દેશને ગર્વ અપાવવા બદલ અભિનંદન આપ્યા હતા. આ ખુશી નગરના દરેક સોશિયલ મીડિયાના ગ્રુપમાં ફરતી થઈ ગઈ હતી અને સમગ્ર નગરના લોકો સોશિયલ મીડિયા દ્વારા એક બીજાને તેમજ ભારતના વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા જોવા મળતા હતા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial