પંકજ પંડિત- ઝાલોદ.
ઝાલોદ તાલુકાના રણીયાર સરકારી ગ્રામ પંચાયત હેઠળ ડુંગર ફળિયામાં ચણાસરના રહીશ ભાભોર કસુભાઇ મલાભાઇના મકાનમા બુધવારના રોજ સાંજના સમય દરમ્યાન અચાનક આગ લાગવાથી ઘર બળી ગયેલ હતું. અચાનક આગ લાગતા આગ ઓલવવા માટે ઝાલોદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, તાત્કાલિક ફાયર બ્રિગેડ આવતા આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ આગની ચપેટમા આખું ઘર તેમજ ઘર તેમજ ઘરની સરસામાન ભસ્મીભૂત થઈ ગયેલ હતું. સદનસીબે આ આગની હોનારત કોઈ પશુધન કે વ્યક્તિને કોઈ જાનહાનિ થયેલ નથી
આ આગ લાગતા મકાનની અંદર થયેલ નુકશાનનો અંદાજો તલાટી દ્વારા કાઢવામાં આવેલ હતો આ મકાનમાં લાકડાના પાટ આઠ નંગ જેની અંદાજિત કિંમત 64000 , લાકડાની વળી 300 નંગ 45000 , વીલાયતી નળીયા 4000 નંગ 60000 , ધરની અંદર અનાજ તેમજ અન્ય ઘર વખરી 90000 , રોકડ રકમ 20000 થઈ કુલ 279000 રૂપિયાનું અંદાજીત નુકશાન થયેલ છે. આ મકાનને અચાનક આગ લાગતા આ અકસ્માતમાં થયેલ નુકશાન માટે તાલુકા વિકાસ અધિકારી તાલુકા ખાતે અરજી કરી મકાન માલિક દ્વારા વળતર માટે માંગણી કરવામાં આવેલ છે જેથી બે ઘર થયેલ વ્યક્તિને પોતાનું મકાન આવનાર સમયમાં જલ્દી મળી જાય તે માટે અરજી કરી માંગ કરવામાં આવેલ છે.

