કિશોર સિંહ સોલંકી.
તા – 25/5/2024 ને શનિવારના રોજ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી આકસ્મિક ભીષણ આગમાં 24 બાળકો સહિત 30 થી વધુ લોકો ભડથું થઈ ગયા હતા ત્યારે,મૃતાત્માઓના આત્માને શાંતિ મળે તે માટે દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા સ્વામિ વિવેકાનંદ ચોક પાસે 7.30 કલાકે શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
મૃતાત્માઓને શાંતિ મળે,ઘર પરિવાર પર આવી પડેલી દુઃખદ ઘટનામાં ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે તે માટે દીવા પ્રગટાવી ને બે મિનિટનું મૌન પાળી સમૂહ પ્રાર્થના કરવામાં આવી હતી.

