Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં રામનવમીની ભવ્ય આયોજન અંગે સનાતન હિન્દુ ધર્મ સમિતિની બેઠક યોજાઈ

પંકજ પંડિત- ઝાલોદ.

ઝાલોદ નગરમાં તારીખ 04-04-2024 ના રોજ રાત્રીના 8:00 વાગે વણકતલાઇ હનુમાનજી મંદિર ખાતે આગામી તારીખ 17-04-2024 બુધવારના રોજ રામનવમીના ઉત્સવના આયોજન અંગે સનાતન હિન્દુ ધર્મ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રામનવમી ઉજવણી અંગેની તબક્કાવાર રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. તેમજ આ ધાર્મિક આયોજન કેવી રીતે ભવ્ય બનાવવું તે અંગે ઉપસ્થિત હિન્દુ સમિતિના સહુ લોકોના મંતવ્ય લેવામાં આવ્યા હતા. તેમજ આ ઉજવણી અંગે રૂપરેખા પ્રમાણે અલગ અલગ જવાબદારી સોપવામાં આવી હતી તેમજ આ ઉજવણીને હજુ વિશેષ કેવી રીતે બનાવવુ તે અંગે વિચારણા કરી આયોજનને ગતિશીલ કરવામાં આવેલ હતું.આ બેઠકમાં મોટા પ્રમાણમાં હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહેલ હતા. તેમજ આ ઉત્સવમાં હિન્દુ સમાજના નાના, મોટા સૌ લોકો જોડાય તે મુદ્દે ચર્ચા કરાઈ હતી. હિન્દુ સમાજના આ ઉત્સવને ખૂબ જ ઉમંગ ઉલ્લાસ સાથે નગરમાં શાંતિમય વાતાવરણ ઉજવાય તે અંગે સહુ લોકોને સૂચન કરવામાં આવ્યું હતું.

Share

Related posts

દાહોદ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષપદે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

એસ.એસ.જી. હોસ્પિટલમાં નવજાતની જીવનરક્ષક સર્જરી : તબીબોએ નવજાત શિશુને આપ્યું નવજીવન

gujaratjanekta

ઝાલોદ નગરપાલિકા ઝાલોદ દ્વારા એક દિન એક કલાક એક સાથ થીમ અંતર્ગત બસ સ્ટેશનમાં સફાઈનું આયોજન કરાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial