.કિશોર સિંહ સોલંકી
દાહોદ તાલુકાના રાછરડા ગામ ખાતે સંત શિરોમણી શ્રી રોહિત દાસજીની જન્મ જયંતી નિમિતે રાછરડા ગામ તેમજ આજુબાજુ ગામના લોકો અને રોહિત સમાજના લોકો દ્વારા ધામધૂમથી રાછરડા ગામ માં શોભાયાત્રા વાજતે ગાજતે ભજન સાથે શોભા યાત્રા કાઢવામાં આવી હતી,આ શોભાયાત્રામાં મહિલાઓ બાળકો અને લોકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો,સંત શિરોમણી શ્રી રોહિત દાસજીની જન્મ જયંતી શુભ યાત્રા ઉજવવામાં આવી. રોહિત સમાજના અગ્રણી એવા રાછરડા ગામના છગનભાઈ મકવાણા, યોગેશભાઈ મકવાણા, નરેશભાઈ મકવાણા, નોકમ કનુભાઈ,નોકમ કમલેશભાઈ, ચાવડા સમીરભાઈ, મકવાણા કનુભાઇ
,અને સમાજના લોકો દ્વારા સંત શિરોમણી શ્રી રોહિત દાસજીની જન્મ જયંતી નિમિતે ભંડારાનું આયોજન પણ સરસ રીતે કરવામાં આવ્યું હતું , સમાજના લોકો ભંડારા પ્રસાદીનો લાભ લીધો હતો, સંત શિરોમણી શ્રી રોહિત દાસજીની જન્મ જયંતી શુભ યાત્રા ઉજવવામાં આવી.

