Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

ફકત ગુજરાતમાં જ નહીં, દેશના વિવિધ રાજ્યોમાં પણ આ રીતે ઉજવાય છે મકરસંક્રાંતિની ઉજવણી – જાણો વધુ

મકરસંક્રાંતિના દિવસે દેશભરના અલગ-અલગ વિસ્તારોમાં અલગ-અલગ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસથી તમામ શુભ કાર્યોની શરૂઆત થાય છે. આ શુભ અવસર પર લોકો ગંગામાં સ્નાન કરે છે અને ઘાટ પર મેળાઓનું આયોજન કરવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે દાન કરવાથી પુણ્ય મળે છે. ગુજરાતમાં મકરસંક્રાંતિને ઉત્તરાયણ, બંગાળમાં પોષ સંક્રાંતિ અથવા પોષ પર્વ, દક્ષિણ ભારતમાં પોંગલ અને આસામમાં મકરસંક્રાંતિને માઘ બિહુ અથવા બિહુ કહેવામાં આવે છે. 

બંગાળમાં મકરસંક્રાંતિ વિશેષ રીતે ઉજવવામાં આવે છે. રાજ્યમાં મકરસંક્રાંતિને પોષ સંક્રાંતિ અથવા પોષ પર્વ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ગંગાસાગર પર મેળાનું આયોજન કરવામાં આવે છે અને આ મેળામાં મોટી સંખ્યામાં લોકો આવે છે.

દક્ષિણ ભારતમાં મકરસંક્રાંતિને પોંગલ કહેવામાં આવે છે. આ તહેવાર ચાર દિવસ સુધી ઉજવવામાં આવે છે જેમાં પ્રથમ દિવસ ભોગી-પોંગલ તરીકે ઉજવવામાં આવે છે, બીજો દિવસ સૂર્ય-પોંગલ તરીકે ઉજવવામાં આવે છે, ત્રીજો દિવસ મટ્ટુ-પોંગલ અને ચોથો દિવસ કન્યા-પોંગલ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે અહીં ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે.

આસામમાં મકરસંક્રાંતિને માઘ બિહુ અથવા બિહુ કહેવામાં આવે છે. આ તહેવાર પર લોકો ઘરે ભાતની ઘણી વાનગીઓ બનાવે છે. આ ઉપરાંત સંક્રાંતિના અવસરે એક સપ્તાહ સુધી પર્વ હોય છે.

ગુજરાતમાં મકરસંક્રાંતિને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. આ તહેવાર પર 2 દિવસનો મોટો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં દૂર દૂરથી મોટી સંખ્યામાં લોકો આવે છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને MP માં પણ પતંગ ચગાવવામાં આવે છે.

Share

Related posts

મહીસાગર જિલ્લામાં દિવ્યાંગ ખેલાડીઓ માટેની જિલ્લાકક્ષાની સ્પે.ખેલ મહાકુંભ-૨૦૨૨ અંતર્ગતની સ્પર્ધાઓ યોજાઈ

gujaratjanekta

બ્રહ્માકુમારી સેન્ટર, ઝાલોદ ખાતે રાજયોગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન

gujaratjanekta

વિશ્વ હિન્દુ પરિષદ ઝાલોદ પ્રખંડ દ્વારા ધર્મરક્ષા નિધિ સમર્પણ અંતર્ગત નગરમાં લોક સંપર્ક કરવામાં આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial