Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ મામલતદાર કચેરીમાં ૭/૧૨ અને ૮/અ ની નકલ મેળવવા આમ જનતાને હાલાકી

પંકજ પંડિત ઝાલોદ

કચેરીનો સંપર્ક કરાતા આખાં ગુજરાતમાં ટેકનિકલ ખામીને લઈ નકલો નથી નીકળતી એવું જાણવા મળ્યુંઝાલોદ મામલતદાર કચેરી ખાતે ૭/૧૨ અને ૮/અ ની નકલ મેળવવા આવનાર જાહેર જનતાને છેલ્લા બાર થી પંદર દિવસથી ભારે હાલાકી ભોગવવી પડી રહેલ છે. ગ્રામીણ વર્ગના લોકો સવારથી મામલતદાર કચેરી ખાતે આ નકલો લેવા આવી જતાં હોય છે. છેલ્લા બાર થી પંદર દિવસ થી સર્વરમાં ટેકનિકલ ખામીને લીધે આખાં ગુજરાતમાં આ સમસ્યા છે તેવું અહીં તપાસ કરતા માલુમ પડેલ છે. પણ જો જવાબદાર અધિકારી તંત્રનો સંપર્ક સાધી ટેકનિકલ ખામી ક્યારે દૂર થશે એની જો ચોક્કસ તારીખ જાહેર નોટિસમાં મૂકી દે તો આવનાર ગ્રામીણ પ્રજાને પોતાની મજૂરીના રૂપિયા વ્યર્થ બગાડવા ન પડે. આ અંગે તાત્કાલિક જવાબદાર તંત્ર આ અંગે ધ્યાન આપે તો ગ્રામીણ વિસ્તાર માંથી આવતી ગરીબ પ્રજાના રૂપિયા ન બગડે.

Share

Related posts

ફતેપુરા તાલુકાના સુખસર ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

ઘાટલોડિયા બેઠક પર સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કોંગ્રેસના અમીબેન યાગ્નિક વચ્ચે જંગ જામશે,કોંગ્રેસની યાદીમાં વિગતો સામે આવી

gujaratjanekta

ઝાલોદ સોમનાથ મંદિર આયોજિત કેદારનાથ થી સોમનાથ મહાદેવ મંદિર સુધી ભવ્ય કાવડયાત્રા યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial