Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ઝાલોદ નગરના સૌયઁ દિવસ નિમિતે દેશ ભક્તિ ગીતનુ આયોજન કરાયું

ઝાલોદ પંકજ પંડિત

શહિદ રાજેશ સોનીને દીવો પ્રગટાવી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી

6 ડિસેમ્બર 1992ના દિવસને હિન્દુ સંગઠનો દ્વારા શૌયઁ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આજથી લગભગ 31 વર્ષ પહેલાં વિવાદિત બાબરી ઢાંચાને તોડી પાડવામાં આવ્યો હતો. આ વિવાદિત બાબરીનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલતો હતો. આ વિવાદિત કેસનો ઉકેલ 2019 માં સુપ્રીમ કોર્ટ દ્વારા હિન્દુ સંગઠનની તરફેણમાં આપ્યો હતો. 6 ડિસેમ્બર 1992 ના રોજ વિવાદિત બાબરીના ઢાંચા નીચે ઝાલોદ નગર માંથી અયોધ્યા ખાતે હિન્દુ સંગઠનો સાથે કારસેવા કરવાં ગયેલ રાજેશ સોની દબાઈ ગયેલ અને ત્યાં તે શહિદ થઈ ગયેલ હતો.
કારસેવા કરવાં ગયેલ રાજેશ સોની 6 ડિસેમ્બરે શહિદ થઈ જતાં તેની યાદમાં ઝાલોદ નગરના વડબજાર વિસ્તારને શહિદ રાજેશ ચોક નામ આપવામાં આવ્યું ત્યાર બાદ પ્રતિવર્ષ હિન્દુ સંગઠનો દ્વારા શહિદ રાજેશને આ દિવસે શ્રધ્ધાંજલી આપતા હોય છે. 6 ડિસેમ્બરના દિવસને કેટલાક હિન્દુ સંગઠનો દ્વારા શોંયઁ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. શહિદ રાજેશને શ્રદ્ધાંજલિ અર્પતા દિપક જલાવી મૌન પાળવામાં આવ્યું હતું અને શહિદ રાજેશ અમર રહોના નારા પણ લગાવવામાં આવ્યા હતા.
આજના 6 ડિસેમ્બર 2023 ના રોજ શૌયઁ દિવસ નિમિત્તે ઝાલોદ નગરમાં શહીદ રાજેશ ચોક ખાતે દેશભક્તિ ગીતનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. આ દેશભક્તિના સુંદર પ્રોગ્રામને નગરજનો એ વધાવી લીધો હતો. આ દેશભક્તિ ગીતની બન્ટી પંચાલ, ધ્રુવ પટેલ અને પ્રેમ મેરવાની દ્વારા કરવામાં આવી હતી.

Share

Related posts

સુઝુકી મોટર્સ ગુજરાત પ્રા..લી. બેચરાજી અમદાવાદ દ્વારા ITI ગોધરા ખાતે અપ્રેન્ટીશ તથા FTC કેમ્પસ ડ્રાઈવ યોજાઈ

gujaratjanekta

દાહોદ નગરમાં સ્વસહાય જુથની મહિલાઓ દ્વારા નવરાત્રીને લગતી કલાત્મક વસ્તુઓનું સાત દિવસ સુધી થશે વેચાણ

gujaratjanekta

ગુજરાત ઈલેક્શન 2022 : ગોધરામાં વિદ્યાર્થીઓએ મતદાન કરવા કર્યો સંકલ્પ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial