Gujarat Jan Ekta
તાજા સમાચાર
national news politics

કોંગ્રેસ આજે ઉજવી રહી છે 138મો સ્થાપના દિવસ, મુંબઈમાં થશે રેલી, મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક મોટા નેતાઓ સામેલ થશે

કોંગ્રેસ પાર્ટી આજે તેનો 138મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. 28 ડિસેમ્બર 1885ના રોજ બોમ્બે (મુંબઈ)માં એઓ હ્યુમે આ પાર્ટીનો પાયો નાખ્યો હતો. ત્યારથી દર વર્ષે 28 ડિસેમ્બરે પાર્ટી તેનો સ્થાપના દિવસ ઉજવે છે. આજે સ્થાપના દિવસ નિમિત્તે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મુંબઈ આવશે અને એક કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. બીજી તરફ આ પ્રસંગે તમામ રાજ્યના મુખ્યાલયોમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય કાર્યક્રમ દિલ્હીમાં થાય છે જ્યાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પક્ષનો ધ્વજ ફરકાવે છે.

મુંબઈમાં કાર્યક્રમમાં હાજરી આપશે ખડગે

તાજેતરમાં જ નવા ચૂંટાયેલા પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ મુંબઈ જવા રવાના થશે. તેઓ મુંબઈ કોંગ્રેસ દ્વારા આયોજિત સ્થાપના દિવસ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. અગાઉ 1985માં રાજીવ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે મુંબઈમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. તે વર્ષે મુખ્ય સમારોહનું આયોજન મુંબઈમાં જ કરવામાં આવ્યું હતું.

ડબલ્યુસી બેનર્જી પ્રથમ પ્રમુખ

28 ડિસેમ્બર 1885 ના રોજ, દેશના વિવિધ ભાગોમાંથી રાજકીય અને સામાજિક વિચારધારા ધરાવતા લોકો બોમ્બેની ગોકપાલદાસ સંસ્કૃત કોલેજના મેદાનમાં એક મંચ પર એકઠા થયા હતા. લોકોને એક પ્લેટફોર્મ પર લાવવાનો શ્રેય એઓ હ્યુમને જાય છે. આ રાજકીય એકતાને કોંગ્રેસ નામ આપવામાં આવ્યું અને ડબલ્યુસી બેનર્જી તેના પ્રથમ પ્રમુખ બન્યા.

કોંગ્રેસ તરફથી દેશને અત્યાર સુધીમાં 7 વડાપ્રધાન મળ્યા 

કોંગ્રેસ પાર્ટી આઝાદી બાદ લાંબા સમયથી સત્તામાં છે. કોંગ્રેસ તરફથી દેશને અત્યાર સુધીમાં 7 વડાપ્રધાન મળ્યા છે. સૌપ્રથમ જવાહરલાલ નેહરુ 1947 થી 1964 સુધી દેશના વડાપ્રધાન હતા. આ પછી લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, પીવી નરસિમ્હા રાવ અને પછી મનમોહન સિંહ દેશના વડાપ્રધાન રહ્યા. તાજેતરમાં, લાંબા સમય પછી, પાર્ટીને ગાંધી પરિવારની બહારથી અધ્યક્ષ મળ્યા. મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેમના નેતૃત્વ હેઠળ, પાર્ટી તાજેતરમાં પૂર્ણ થયેલી હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી જીતવામાં સફળ રહી છે.

Share

Related posts

મમતા બેનર્જીને નથી પસંદ ‘રંગ દે તુ મોહે ગેરુઆ’, કેન્સલ કર્યો અરિજિત સિંહનો કોન્સર્ટ, ભાજપે લગાવ્યો મોટો આરોપ

Admin

ભારત જોડો યાત્રામાં જોડાશે ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી, આવતા મહિને કાશ્મીર પહોંચશે યાત્રા

Admin

ગૃહ મંત્રાલયની આતંકી વિરુદ્ધ કાર્યવાહી, ખાલિસ્તાન ટાઈગર ફોર્સના અર્શ દલ્લાને આતંકી જાહેર કરવામાં આવ્યો છે

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial