Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

કમલમમાં થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ વ્યવસ્થાના ભાગ રૂપે પક્ષના પ્રાથમિક સદસ્ય પદ પરથી રાજીનામું આપ્યું

આજ રોજ પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ વ્યવસ્થા ના ભાગ રૂપે પક્ષના પ્રાથમિક સદસ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમનું નામ પક્ષ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ,રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ, પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકરજી તેમજ પ્રદેશના મહામંત્રીઓ, પ્રદેશના હોદ્દેદારઓ તેમજ ધારાસભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.
  ડિસેમ્બરમાં વિધાનસભાના અધ્યક્ષ-ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી વિધાનસભા સચિવાલય દ્વારા જારી કરાયેલ સત્તાવાર સૂચના અનુસાર, નવી ચૂંટાયેલી વિધાનસભાની પ્રથમ બેઠક 20 ડિસેમ્બરે યોજાશે.
 ગુજરાતમાં તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કુલ 182 બેઠકોમાંથી 156 બેઠકો જીતીને સત્તા જાળવી રાખી હતી.
 શંકર ચૌધરીનું વિધાનસભાના અધ્યક્ષ બનવું લગભગ નિશ્ચિત છે
 સંખ્યાબળ જોતાં શંકર ચૌધરી અને જેઠાભાઈ ભરવાડ ચૂંટણીના સંજોગોમાં સંબંધિત હોદ્દા પર ચૂંટાઈ આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. વિધાનસભાના સ્પીકર સામાન્ય રીતે બિનહરીફ ચૂંટાય છે. બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠકનું પ્રતિનિધિત્વ કરતા શંકર ચૌધરીએ 2014 થી 2017 દરમિયાન આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની આગેવાની હેઠળની સરકારમાં મંત્રી તરીકે સેવા આપી હતી.
Share

Related posts

ઝાલોદ નગરના સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિતે માંડલીખૂંટાની ભજન મંડળી એ ધૂમ મચાવી બપોરે પટેલ સમાજની મહિલા મંડળ દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યુ

gujaratjanekta

ઝાલોદ નગરમાં ડબગર સમાજ દ્વારા વસંતપંચમી ઉત્સવની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી

gujaratjanekta

ઝાલોદ માં આવેલ ” અંબાલાલ વ્યાસ ઉત્તરબુનિયાદી વિધ્યાલય ” ખાતે વિદ્યાર્થીઓને આરોગ્ય વિષે જાણકારી એજ બચાવ પર કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial