Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

મહિસાગર લુણાવાડા ખાતે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જનસભા યોજાઈ, કોંંગ્રેસ પર કર્યા પ્રહાર

સંકેત પંડ્યા – એડિટર

લુણાવાડા ખાતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જાહેર સભા યોજાઈ હતી. આજે અહીં આવ્યો છું અને તમને જોઈને આનંદીત થઈ રહ્યો છું. આજે આપણે ભારતની વાત કરીએ તો ભારત મોટી તાકાત દુનિયામાં ઉભરી રહી છે. કોંગ્રેસે ભ્રષ્ટાચારને એટલું મહત્વ આપ્યું છે કે તેના કારણે અરાજકતા ફેલાઈ હતી. લોકોને શાસન પ્રશાસનથી વિશ્વાસ જ રહ્યો નહોતો. આ પરિસ્થિતિમાં ગુજરાતની ધરતી સંકલ્પની શાક્ષી રહી છે આ દેશ જાતિયતામાં ડુબેલો હતો. અહીંની મૂળ જ્ઞાતિને અલ્પ સંખ્યક બનાવવાનો પ્રયત્ન પણ થઈ રહ્યો હતો. આ પ્રકારનો સમય હતો. ત્યારે ત્યારે આ રાજ્યમાં મહાપુરુષો દેશમાં સામે આવ્યા છે.

તેમણે કહ્યું કે, જે કોંગ્રેસ તમારી સુરક્ષા નથી કરી શકતી. ભાજપ પાર્ટી આવતા જ કિશાન સન્માન નિધીનો લાભ મળ્યો છે. 5 લાખ રુપિયા સુધીની સુવિધા બાદ ગુજરાતમાં ફરીથી સરકાર આવશે તો 10 લાખ રુપિયાનો લાભ સ્વાસ્થ્ય લાભ માટે મળળે. કોંગ્રેસ આ બધું નથી કરી શકી. ડબલ એન્જિનની સરકાર નિરંતર કામ કામો કરી રહી છે.

કોંગ્રેસ આસ્થાનું સન્માન નથી કરી શકતી તો કોંગ્રેસને આપણા વોટ પણ ના જવા જોઈએ. શું તમે ભાજપને ભવ્ય જીત આપશો તેમ પણ કહ્યું હતું. આ સાથે તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી જેવા પ્રધાનમંત્રી દેશને મળ્યા છે તેના કારણે વૈશ્વિક મંચ પર ભાજપને અલગ સ્થાન મળ્યું છે. તેમ તેમણે કહ્યું હતું.

Share

Related posts

સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છાયણ ખાતે આરોગ્ય શિબિર યોજાઈ

gujaratjanekta

અચાનક જ અસહ્ય ઠંડીની થયેલી શરૂઆતમાં આવી બ્રેક, જૂનાગઢને કાતિલ ઠંડીમાં રાહત

Admin

વી ક્લબ ઓફ વન્ડર વુમન અને સદવિચાર પરિવાર દ્વારા ફ્રી કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial