સંકેત પંડ્યા – એડિટર
ભારત અને દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ત્રણ મેચની વન ડે સીરિઝની અંતિમ અને નિર્ણાયક મેચ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. લખનઉંમાં 10 રને જીત મેળવીને અહી યજમાનોએ 1-0થી લીડ મેળવી લીધી હતી જ્યારે રાંચીમાં શ્રેયસ અય્યર અને ઇશાન કિશનની દમદાર ઇનિંગની મદદથી 7 વિકેટે મુકાબલો જીતીને ભારતે સીરિઝમાં વાપસી કરી હતી. દિલ્હીમાં રમાનાર આ મેચમાં ત્રણ ભારતીય ખેલાડી ડેબ્યૂ માટે તૈયાર છે. હવે જોવાની વાત આ છે કે નિર્ણાયક મેચમાં શિખર ધવન પ્લેઇંગ ઇલેવનમાં બદલાવ કરે છે કે નથી કરતો.
વન ડે ડેબ્યૂ માટે કતારમાં આ સમયે રાહુલ ત્રિપાઠી સાથે રજત પાટીદાર અને મુકેશ કુમાર છે. રાંચીમાં રમાયેલ મેચ પહેલા શહબાજ અહેમદ પણ આ યાદીનો ભાગ હતો પણ તેને શિખર ધવને રવિ બિશ્નોઇની જગ્યાએ તક આપી હતી અને આ બોલરે સારૂ પ્રદર્શન કરતા સારૂ પ્રદર્શન કર્યુ હતુ.
આ ત્રણેય ખેલાડી સિવાય ગત મેચમાં બેંચ પર ઋતુરાજ ગાયકવાડ અને રવિ બિશ્નોઇને પણ બહાર બેસવુ પડ્યુ હતુ. બીજી વન ડેમાં વોશિંગ્ટન સુંદર અને શહબાજ અહમદે આ બન્ને ખેલાડીઓને રિપ્લેસ કર્યા હતા. રાંચી વન ડે જીત્યા બાદ દિલ્હીમાં સીરિઝનો ડિસાઇડર મુકાબલો રમાવાનો છે, એવામાં જો ટીમમાં કોઇ ઇન્જરી નથી તો શિખર ધવન સીરિઝ જીતવા માટે મુશ્કેલ જ પ્લેઇંગ ઇલેવનમાં બદલાવ કરશે.
જેનો અર્થ આ છે કે આ ખેલાડીઓને ડેબ્યૂ કરવા માટે વધુ રાહ જોવી પડી શકે છે. IPL અને ઘરેલુ સીરિઝમાં રાહુલ ત્રિપાઠી અને રજત પાટીદારે સારૂ પ્રદર્શન કર્યુ છે જેને કારણે તેમનો ટીમ ઇન્ડિયામાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
દક્ષિણ આફ્રિકા સામે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, ઇશાન કિશન, શ્રેયસ અય્યર, સંજૂ સેમસન (વિકેટ કીપર), વોશિંગ્ટન સુંદર, શાહબાજ અહમદ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અવેશ ખાન

