સંકેત પંડ્યા – એડિટર
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય નેતાઓ કામે લાગ્યા છે. સત્તા પક્ષ ભાજપ સામે આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં છે. જેથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં ગુજરાત પ્રવાસ પણ વધ્યા છે. ગુજરાતની પ્રજાને નવી-નવી ગેરંટી આપીને ભાજપ ડરી રહી હોવાનો દાવો કરતા કેજરીવાલ હાલ ગુજરાતમાં છે. આ વચ્ચે એક ટ્વીટ કરીને સૌને ચોંકાવ્યા છે.
गुजरात में भाजपा बुरी तरह से आम आदमी पार्टी से घबरायी हुई है। सूत्रों के मुताबिक़ जल्द ही गुजरात के भाजपा प्रदेश अध्यक्ष C R पाटिल को हटाया जा रहा है। क्या भाजपा इतनी ज़्यादा डरी हुई है?
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 23, 2022
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે રાજ્યમાં આમ આદમી પાર્ટી (AAP) ઝડપથી આગળ વધી રહી છે. તેમણે આજે એક ટ્વીટ કરીને ખળભળાટ મચાવ્યો છે. કેજરીવાલે ટ્વીટમાં કહ્યુ છે કે ગુજરાતમાં ભાજપ આમ આદમી પાર્ટીથી ખરાબ રીતે ડરી ગઇ છે. સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને ટૂંક સમયમાં હટાવવામાં આવશે. શું ભાજપ આટલી ડરેલી છે ?
આ પહેલી વખત નથી કે કેજરીવાલે ભાજપ ડરી ગઇ હોય તેવો દાવો કર્યો હોય. આ પહેલા પણ ટ્વીટ કરીને કહ્યુ હતુ કે ભાજપ ગભરાઈ ગયું છે. શું એ વાત સાચી છે કે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અમિત શાહને સી.એમ ના ચહેરા તરીકે જાહેર કરવા જઈ રહ્યું છે? ભૂપેન્દ્રભાઈ પટેલના કામથી શું ભાજપ નારાજ છે?
सूत्रों के हवालो से राजनीति और जनसेवा नहीं होती रेवड़ीवाल जी!!
भाजपा की ज्यादा फिक्र न करे, शराब मंत्री और अपनी फिक्र करें।
रेवड़ीवाल जी के पास कोई जिम्मेदारी है नही, बस अब सूत्रों की बातें करेंगे, सही ही कहा है खाली दिमाग शैतान का !! https://t.co/vm0hLqxGXo
— Dr. Rutvij Patel (@DrRutvij) August 23, 2022
આ રીતે અરવિંદ કેજરીવાલનાં આ ટ્વીટ બાદ ભાજપનાં સહપ્રવક્તા ડો.ઋત્વિજ પટેલે વળતો પ્રહાર કર્યો હતો. ડો.ઋત્વિજ પટેલે ટ્વીટ કરીને કહ્યુ કે રાજકારણ અને લોકસેવા સૂત્રો દ્વારા કરવામાં આવતી નથી રેવડીવાલ જી!
ભાજપની બહુ ચિંતા ન કરો, શરાબ મંત્રી અને તમારી ચિંતા કરો.
રેવડીવાલે જી પાસે કોઈ જવાબદારી નથી, બસ હવે સુત્રોની વાત કરશે. સાચું જ કહ્યું છે કે ખાલી મન શેતાનનું!

