મુકેશ કંટારીયા –
ગામ થી ત્રણ કિમી વાડી સુધી ગાડું જાય અને સાથે કોઈ હંકારવા સારથી નહીં..
ભાવનગર જિલ્લા ના ગારિયાધાર ‘ તાલુકા નું એક સુંદર ગામ એટલે રૂપાવટી. આ ગામમાં એક ખેડૂત ગોયાણી પરિવાર ના ધીરુ ભાઈ દેવરાજ ભાઈ ગોયાણી વર્ષોથી રહે છે અને તેમના બળદ છેલ્લા બે વર્ષ થી તેમની વાડીએ દરરોજ ૩ કીમી જાય ને આવે છે.

રૂપાવટી થી ગારિયાધાર તરફ આવેલ ખોડિયાર વાડી સુધી દરરોજ વફાદારી પુર્વક માલ સામાન બળદગાડામાં હેરાફેરીનું કામ આ બળદ કરે છે. રોજ રોજ નું આવવા જવાનું 6 કિલોમીટર અંતર પણ કાપે છે આ ગાડા માં વાડીએ થી કેટલીક વસ્તુ ગાડામાં મુકવા માં આવે અને પછી આ ગાડુ રૂપાવટી તરફ રવાના રોજ રોજ ચાલ્યું જાય છે
નવાય ની વાત તો એ છે કે આ ઢોર જે પશુ હોવા છતા આટલુ સમજે છે પણ ક્યારેક માણસ ઘણીવાર સમજદાર નથી બનતો. ત્યારે રસ્તા પર વાહન ચલાવતા સમજદાર માણસોએ હંમેશા સાવધાનીપૂર્વક અને નિયમોથી બંધાઈ વાહન ચલાવવું જોઈએ.
https://youtube.com/shorts/vtDZH54h3qI?feature=share

