Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ જાણવા જેવુ ટોપ ન્યૂઝ ધંધાકીય જાહેરાત ધર્મ દર્શન / રાશિફળ સરકારી નોકરી/યોજનાઓ સ્પોર્ટસ

મોટી દુર્ઘટના ટળી: અમરેલીના ચલાલાથી ગોપાલગ્રામ વચ્ચે એસટી બસ રસ્તાની બાજુ પર ઉતરી ગઈ, મુસાફરોને બારીમાંથી બહાર કઢાયા

અમરેલી29 મિનિટ પહેલા

ધારી ડેપો મેનેજર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા

અમરેલીના ચલાલાથી ગોપાલગ્રામ વચ્ચે આજે એક એસટી બસ રસ્તાની સાઈડમાં ઉતરી જતા મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી. બસ ત્રાસી થઈ જતા બસમાં સવાર મુસાફરોને બારીમાંથી બહાર કાઢવાની ફરજ પડી હતી.

અમરેલી જિલ્લામા આવેલ ચલાલથી ગોપાલગ્રામ વચ્ચે ગુરુકુલના પાટિયા પાસે એસ.ટી.નો અકસ્માત સર્જાયો હતો. અહીં એસ.ટી.બસ ચાલક દ્વારા બેલેન્સ ગુમાવી દેતા બસ ખાળીયામાં ઘુસી જતાં મુસાફરોએ થોડીવાર અહીં દેકારો મચાવ્યો હતો. ઘટના બાદ આસપાસમાં ગ્રામજનો પણ અહીં મદદ માટે દોડી આવ્યા હતા પરંતુ મુસાફરોની સંખ્યા ઓછી હોવાને કારણે કોઈ મોટી દુર્ઘટના બની ન હોવાનુ મનાય રહ્યું છે. જોકે અહીં સ્થાનીક લોકો દ્વારા મુસાફરોને બારીમાંથી બહાર કાઢવાની ફરજ પડી હતી.

ઘટના બાદ એસ.ટી.વિભાગના ધારી એસ.ટી.ડેપો મેનેજર સહિત દોડી આવ્યા હતા. અમરેલી એસ.ટી.ડેપોની બસ હોવાનુ જાણવા મળી રહ્યું છે જ્યારે મુસાફરો પણ અહીં આસપાસના ગ્રામ્ય વિસ્તારના હોવાનુ જાણવા મળી રહ્યું છે ઘટનામા રાહદારી ઓ અહીં ઉભા રહી મુસાફરોની મદદ કરતા પણ જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Share

Related posts

IND Vs NZ: રવિ શાસ્ત્રીને આશા- ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં સૂર્યકુમાર યાદવ અને અર્શદીપ સિંહ સારુ પ્રદર્શન કરશે

gujaratjanekta

ઝાલોદ પ્રાંત અધિકારીને ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા આવેદનપત્ર આપી ભીલ પ્રદેશની માંગ કરવામાં આવી

gujaratjanekta

કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિનીકુમાર વૈષ્ણવ એ દાહોદ રેલવે ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટની મુલાકાત લીધી.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial