- આજરોજ ઝાલોદ તાલુકાના ઘટક–૧ના તમામ આંગણવાડી કેન્દ્રોમાં સુપોષણ સંવાદ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન માતા અને બાળકના આરોગ્ય તથા પોષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રથમ વખતની સગર્ભા બહેનોને વિશેષ પ્રોત્સાહનરૂપે શ્રીફળ, મગ અને ગોળ આપી ગોદ ભરાઈ વિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સગર્ભા માતાઓમાં પોષણ અંગે જાગૃતિ લાવવાનો અને સુપોષિત માતા દ્વારા સ્વસ્થ બાળકના જન્મને પ્રોત્સાહન આપવાનો હતો.કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકરો, સહાયિકાઓ તેમજ લાભાર્થી બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

