છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના નવા મંત્રી મંડળને લઈને સસ્પેન્સ જોવા મળી રહ્યું છે, નવા કેબિનેટમાં કોને સ્થાન મળશે અને કોનું પત્તું કપાશે તેને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે સીએમને લઈને સૂત્રો પાસેથી મહત્વની મોટી અપડેટ સામે આવી. સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આવતીકાલે એટલે કે 17 ઓક્ટોબર મહાત્મા મંદીર ખાતે સવારે 11 કલાકે નવા મંત્રીઓની શપથ વિધિ યોજાઈ શકે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત શપથ લેવડાવશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવે તેવી શકયતા છે. જે. પી. નડ્ડા અને અમિત શાહ 17મી ઓક્ટોમ્બર શુક્રવારના રોજ ગુજરાત આવી શકે. મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ યથાવત રહેશે કે કેમ તે હજુ સત્તાવાર જાહેરાત થવાની બાકી છે!!

