શક્તિ ચક્રવાત ઓમાન નજીક અરબ સાગરમાં સક્રિય છે. હાલ દ્વારકાથી 770 કિમી દૂર ચક્રવાત છે. આજે ચક્રવાત ગુજરાત તરફની દિશા પકડે એવી સંભાવનાઓ છે. મંગળવારે વાવાઝોડું દરિયામાં નબળું પડશે. સૌરાષ્ટ્રભરના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ યથાવત છે. વાવાઝોડાને લઈ જામનગરનું વહીવટી પ્રશાસન સાબદું છે. જામનગરમાં અડધો અને જોડિયામાં એક ઈંચ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર-કચ્છમાં 50 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાશે.
પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આ ચેતવણી પશ્ચિમી વિક્ષેપને કારણે છે જે 7 ઓક્ટોબર સુધી સક્રિય રહેશે. પંજાબ-હરિયાણામાં ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ હવામાન વિભાગે બિહાર સહિત પૂર્વી ભારતના રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરી છે. દરમિયાન, અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન ‘શક્તિ’ નબળુ પડવા લાગ્યું છે.
ગુજરાતમાં વાવાઝોડાની અસર 8-9 ઓક્ટોબરે જોવા મળશે અને દ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જામનગર, પોરબંદર, દ્વારકા, સુરત, નવસારી, વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

