ફતેપુરા તાલુકાના વરુણા આશ્રમ શાળા ખાતે સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત એક પેડ માઁ કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં ફતેપુરા ના ધારાસભ્ય રમેશભાઈ કટારા પણ ઉપસ્થિત રહ્યા હતા.દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અંતર્ગત દેશમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેમાં ૨૫ સપ્ટેમ્બર ના દિવસે ડો. દીનદયાળ ઉપાધ્યાય ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં વરુણા આશ્રમ શાળા ખાતે કરવામાં આવી હતી. ધારાસભ્ય રમેશભાઈ કટારા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ એક પેડ માઁ કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ માં ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગિરવરસિંહ પુવાર, બી આર સી મુકેશ પટેલ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં. શાળા ના કમ્પાઉન્ડ માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધારાસભ્ય રમેશભાઈ કટારા એ વરુણ દેવ ના મંદિરે જઈ સાક્ષાત એવા વરુણ દેવ ના દર્શન કર્યા હતા.

