Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા પૂજન દિવસ નિમિતે ઓજાર-શસ્ત્ર પૂજન ,મહિલા ભજન, સમૂહ આરતી જેવા પ્રોગ્રામ યોજાયા

ઝાલોદ નગરના પંચાલ સમાજ દ્વારા આજરોજ 17-09-2025 બુધવારના રોજ વિશ્વકર્મા પૂજન દિવસ નિમિતે સમાજના સહુ લોકો સહપરિવાર સાથે સવારે પૂજા અર્ચના કરવા આવેલ હતા. ત્યારબાદ પંચાલ સમાજના વ્યાપાર કરતા બંધુઓ દ્વારા ઓજાર-શસ્ત્ર પૂજન કરવામાં આવેલ હતું. પંચાલ સમાજની મહિલા મંડળ દ્વારા ભજન કરવામાં આવેલ હતા જેનો લ્હાવો પંચાલ સમાજના ઉપસ્થિત સહુ જ્ઞાતિ બંદુઓ લીધો હતો. સાંજના સમયે મોટા પ્રમાણમાં ઉપસ્થિત પંચાલ સમાજના જ્ઞાતિ બંધુઓ દ્વારા સમૂહ આરતી ઘરે થી સજાવેલ થાળી લઈ કરવામાં આવી હતી. વિશ્વકર્મા મંદિરે યોજાયેલ પ્રોગ્રામમાં ભગવાન વિશ્વકર્માના જય જય કાર સાથે ગગન ગુંજાવી દીધેલ હતું. છેલ્લે ઉપસ્થિત પંચાલ સમાજના જ્ઞાતિ બંધુઓ માટે મહાપ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર પ્રોગ્રામનુ આયોજન વિશ્વકર્મા મંદિર કારોબારી સમિતિ, પંચાલ મહિલા મંડળ, પંચાલ યુવક મંડળ દ્વારા કરવામાં આવેલ હતું.

Share

Related posts

કારકિર્દી માર્ગદર્શન વેબિનાર – શ્રીમતી આર.એમ. દેવડા માધ્યમિક શાળા લીમડી*ખાતે યોજાયો

gujaratjanekta

ઝાલોદ નગરના મોક્ષધામની કામગીરીના બાકી નીકળતા રૂપિયા માટે કોન્ટ્રાક્ટર દ્વારા જિલ્લા સ્વાગતમા અરજી કરાઈ

gujaratjanekta

ઝાલોદ નગરમાં શ્રાવણ માસ દરમ્યાન નોનવેજ અને કતલખાના બંધ રાખવા હિન્દુ સમાજ દ્વારા માંગ કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial