Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

ઝાલોદ તાલુકાના થેરકા મુકામે આવેલ પંચકૃષ્ણ મંદિર પાછળ આવેલ માછણ નદીમાં ડૂબી જતાં સાંપોઈના યુવાનનું મોત

પંકજ પંડિત

ઝાલોદ તાલુકાના થેરકા મુકામે આવેલ પંચકૃષ્ણ મંદિરની પાછળ આવેલ માછણ નદીના કિનારે સાંપોઈના સુરેશભાઈ કડકીયાભાઈ અમલીયાર જેમની ઉમર અંદાજીત 35 વર્ષની છે તેઓ તેમના પરિવારજનો સાથે તેમના દાદાની અસ્થી વિસર્જન કરવા માટે 11-09-2025 ના રોજ આવેલ હતા. અસ્થી વિસર્જન કરવા માટે સુરેશભાઈ કડકીયાભાઈ અમલીયાર માછણ નદીમાં ઉતર્યા હતા ત્યારે તેઓ પાણીના વહેણમાં ખેંચાઈ ગયેલ હતા. આ અંગે ઝાલોદ પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઝાલોદ અને દાહોદની ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવેલ હતી. ઝાલોદ અને દાહોદની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 11 તારીખે ડૂબી ગયેલ વ્યક્તિને શોધવાની કવાયત હાથ ધરી હતી પરંતુ 11 તારીખે ફાયરબ્રિગેડની ટીમને સફળતા ન મળતાં 12 તારીખે ફરી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીમાં ડૂબી ગયેલ વ્યક્તિને શોધવાની તજવીજ હાથ ધરેલ હતી ત્યારે 12 તારીખે અંદાજીત બપોરના 1 વાગ્યા પછી પાણીમાં ડૂબી ગયેલ વ્યક્તિ મૃત હાલમાં મળી આવેલ હતો. ઝાલોદ પોલીસ દ્વારા મૃતક વ્યક્તિના પોસ્ટ મોર્ટમ માટે ઝાલોદ સરકારી દવાખાના ખાતે લાવવામાં આવેલ હતો.

Share

Related posts

લાંચિયો તલાટી ઝડપાયો : મહીસાગર ACBએ ₹ 7000 ની લાંચ લેતા તલાટી કમ મંત્રીને રંગેહાથ પકડ્યો

gujaratjanekta

રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં વર્ષ 2023 દરમિયાન રૂ.2 લાખ કરોડનું રોકાણ જોવા મળશે

Admin

ઝાલોદ તાલુકાના રાજસ્થાન બોર્ડર નજીક અનાસ ગામના ભુવનેશ્વરી માતાના મંદિરે વિધર્મીઓના ઈશારે ચોરી કરવા આવતા બે ચોર ઝડપાયા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial