ઝાલોદનગરનાડી.વાય.એસ.પી ડી.આર.પટેલના સીધા માર્ગ દર્શન હેઠળ પી.આઈ રવિ ગામીતની અનુગામી હેઠળ પીએસઆઇ રવિન્દ્ર રાઠોડ તેમજ પોલિસ સ્ટાફને સાથે રાખી ઈદેમિલાદ અને ગણેશ વિસર્જનને અનુલક્ષી જે રૂટ પર થી શોભાયાત્રા નિકળનાર છે તે રૂટ પર પોલિસ દ્વારા નિરીક્ષણ કરી ફૂટમાર્ચ કાઢવામાં આવી હતી. ફુટમાર્ચ દરમ્યાન પીઆઈ રવિ ગામીત દ્વારા પોલિસ સ્ટાફને સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સહુને સૂચનો પણ આપવામાં આવ્યા હતા તેમજ રૂટ પરીક્ષણ દરમિયાન શોભાયાત્રા દરમિયાન કોઈ અગવડતા ઉભી ન થાય તેનો પણ અભ્યાસ કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવેલ હતા.

