પંકજ પંડિત
ભાદરવા સુદ -એકમને રવિવારની સાંજે ખોડિયાર માતા મંદિર ખાતે 2001 ના વર્ષમાં અંબાજી પગપાળા જતા દરેક વ્યક્તિઓનું સન્માન સમારંભ ખોડિયાર માતાના મંદિર પ્રાંગણમાં યોજાયું હતું. પગપાળા સંઘના 25 વર્ષ પહેલાં પાંચ સાત લોકો થી શરુ થયેલ પદ યાત્રીઓ ત્થા દાતાઓને ચાંદીનો દિપક આપી સન્માનિત કર્યા બાદ સંધ્યા આરતી કરીને રથયાત્રાનો આરંભ કરવામાં આવ્યા હતો.
ભકજાનોના અનેરા ઉત્સાહની સાથે આતાશબાજી, ઢોલ નગારા તેમજ ફટાકડાની ભવ્ય આતસબાજી સાથે બાવન ગજની ધજાજી લઈને જઈ રહેલા સંઘને રવાનગી કરવા માટે નગરના માઈ ભક્તો મોટા પ્રમાણમાં જોડાયા હતા.. નગરમાં મુખ્ય વિસ્તારને રોશની થી શણગાર કરીને સજાવ્યું હતું યાત્રા ના રૂટ માં ઠેર ઠેર રથના વધામણાં કરવામાં આવ્યા હતા ખોડિયાર મંદિર થી શરુ થયેલ રથયાત્રા તિરંગા ચોક મુવાડા સુધી વાળવવાં માટે ગામલોકો ઉમટ્યા હતા.પગપાળા સંઘ આગામી અગિયારસને તારીખ 3 સપ્ટેમ્બર ના રોજ અંબાજી મંદિરે ધજા ચડાવશે..

