સોલંકી કિશોરસિંહ,
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ગરિમામયી ઉપસ્થિતિમાં આજે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ‘20 વર્ષ શહેરી વિકાસના’ ઉજવણી કાર્યક્રમમાં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી,કેન્દ્રીય મંત્રી શ્રી મનોહર લાલજી, કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ તેમજ રાજ્યના મંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં સહભાગી થઈને શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરી.મોદી સાહેબના વરદ્હસ્તે આ અવસરે ₹1859 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ તથા ₹3677 કરોડના વિકાસકામોના ખાતમુહૂર્ત સહિત કુલ ₹5536 કરોડના શહેરી વિકાસને વેગ આપતા પ્રકલ્પોની ગુજરાતને ભેટ મળી હતી.

