ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
ઉજ્જૈનના મુફદૃલ પાર્કમાં 15 વર્ષથી નાના બાળકો મોબાઈલ નો ઉપયોગ નહીં કરવો શપથ લીધા હતા
દાઉદી વ્હોરા સમાજના નાના બાળકો જેની ઉંમર 15 વર્ષથી ઓછી છે તેવા બાળકોને મોબાઈલ ફોન વાપરવા નહીં તે માટે ધર્મગુરુ સૈયદના મુફદૃલ સૈફુદ્દીન સાહેબના આદેશ તથા દાઉદી વોરા સમાજના 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ અને તેના વાલીઓએ આ આદેશને વધાવી લીધો છે અને ઠેર ઠેર પ્રોગ્રામો કરી બાળકો મોબાઇલ સિવાય ખેલકૂદ ચિત્રકામ અભ્યાસ વગેરે કાર્યોમાં જોડાઈ તે માટે ભેગા મળીને એકબીજાને સહકાર આપી રહ્યા છે આ જ રીતે ઉજ્જૈનના મુફદૃલ પાર્કમાં 15 વર્ષથી ઓછી ઉમરના બાળકો અને તેના માતા-પિતા તેમજ વાલીઓ ભૈગા મળીને ખેલકૂદ તેમજ ચિત્રકામ વગેરેનો પ્રવૃતિનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં મફદૃલ પાર્કમાં રહેતા તમામ ૧૫ વર્ષ થીયુ ઓછી ઉંમરના બાળકોએ અને તેમના વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ મોબાઈલ નહીં ચલાવવા માટેના શપથ લીધા હતા તેમ જ ચા નાસ્તાનું તેમજ કેક કાપી પ્રોગ્રામ પણ રાખવામાં આવેલ હતો

