Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દિવાળી પર ઉદ્યોગ સાહસિકોને મોદી સરકારની મોટી ભેટ :જાણો કઈ સ્કીમમાં હવે ડબલ ફાયદો!

જે ઉદ્યોગ સાહસિકો પોતાનો બિઝનેસ વધારવા માંગે છે તેઓને પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ પહેલા કરતા બમણી લોન મળશે. આ યોજના હેઠળ મુદ્રા લોનની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ નિર્ણય અંગે સરકારે નોટિફિકેશન પણ જાહેર કર્યું છે. તેમાં 20 લાખ સુધીની લોન પર ગેરંટી કવરેજ ક્રેડિટ ગેરંટી ફંડ ફોર માઇક્રો યુનિટ્સ હેઠળ આપવામાં આવશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે 23 જુલાઈ, 2024ના રોજ બજેટ રજૂ કરતી વખતે તેવી જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ આપવામાં આવતી 10 લાખની લોન વધારીને 20 લાખ કરવામાં આવશે. હવે તે જાહેરાતનો અમલ કરવામાં આવ્યો છે. નાણા મંત્રાલયે જણાવ્યું કે, આ લિમિટ વધારવાથી મુદ્રા યોજનાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ મળશે.

Share

Related posts

ભૂગર્ભ ગટરના કનેક્શન્સ વિના શરૂ થતી RCC રોડની કામગીરી સામે લુણાવાડાના નગરપાલિકા સભ્યોનો વિરોધ : વિજીલન્સ તપાસની માંગ

gujaratjanekta

પાટણ ખાતે આવેલ બીએપી એસ સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ મહોત્સવ યોજાયો

gujaratjanekta

સુખસર પોલીસે બલૈયા ક્રોસિંગ ખાતેથી અકસ્માત ગ્રસ્ત બોલેરો પીકપ ડાલા માંથી પાંચ ગૌવંશ ઝડપી તપાસ હાથ ધરી વાછરડા ભરેલા પીકપ ડાલાને શિફ્ટ કાર સાથે અકસ્માત થતા બોલેરો ચાલક ભાગી છૂટ્યો દાહોદ જિલ્લામાં પશુ વહન કરતાં વાહનોના માલિકો સરકારના પરિપત્રનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial