માંડવીમાં ગરબીના પંડાલમાં ખેલૈયાઓને દારૂ પીને છાટકા બનતા તત્વો રંઝાડે નહી તે હેતુથી ગરબીના પ્રવેશ દ્વાર પર જ પોલીસ દ્વારા બ્રેથ એનેલાઈઝર ટેસ્ટ કરવામાં આવે છે.

આદ્યશક્તિની આરાધના પર્વમા બાલીકાઓ,યુવાનો, બાળકો, સહિત મોટી સંખ્યામાં નગરજનો ગરબી જોવા તેમજ રાસ ગરબા રમવા જતા હોય છે. કોઈ કેફી પીણું પી ને પ્રવેશ ન કરે તે માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ ગોઠવી શંકાસ્પદ લાગતા લોકોને બ્રેથ એનેલાઈઝર દ્વારા ચેકિંગ કરવામાં આવે છે. હિન્દુ યુવા સંગઠન નવરાત્રિના આયોજકો દ્વારા પંડાલમાં દારૂ પી ને કોઈ ન આવે તે માટે પોલીસ પાસે માંગ કરાઈ હતી. ખેલૈયાઓને કોઈને હેરાનગતિ ન થાય તે હેતુથી જે જે જગ્યાએ ગરબી ચાલુ છે ત્યાં પીઆઈ ડી.ડી. સિમ્પીના સુચના મૂજબ પોલીસ કર્મચારીઓ દ્વારા બ્રેથ એનેલાઈઝર દ્વારા ચેકિંગ કરાઈ રહી છેં.

