બાહી કન્યાશાળા માં વિજ્ઞાન ગૂર્જરી દ્વારા આયોજિત સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટમાં ‘ ભારતીય વિજ્ઞાન ની ઉજ્જવળ પરંપરા અને પ્રફુલચંદ્ર રાય તથા વિક્રમ સારાભાઈ વિષય પર શ્રી વક્તા શ્રી કમલસિંહ જે સોલંકી દ્વારા શાળાના વિદ્યાર્થીઓને સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. તેમણે પ્રાચીન અને અર્વાચીન વિજ્ઞાનમાં ભારતનો ફાળો વિશે વિસ્તૃત માહિતી આપેલ જેમાં શાળાના શિક્ષકો સહિત આશરે ૧૫૦ વિદ્યાર્થી ઓ એ ભાગ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું.
ઉપરાંત વિજ્ઞાન ગુર્જરી ના શ્રી પંકજ દરજી દ્વારા વિજ્ઞાન ગુર્જરી,(વિભા) દ્વારા ચાલતી સ્વદેશી વિજ્ઞાન પ્રવૃત્તિ, વિદ્યાર્થી વિજ્ઞાન મંથન વિશે પણ માહિતી આપવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પ્રોજેક્ટ કોર્ડીનેટર ગીતાબેન ઠાકોર દ્વારા કરવામાં આવેલ. શાળાના આચાર્યશ્રી એ અંતમાં વકતાશ્રીઓનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

