Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આર્મીના વાહન પર થયેલા આતંકી હુમલામાં 4 જવાન શહીદ

જમ્મુ કાશ્મીરમાં મા ભોમની રક્ષા કાજે લડતાં જવાનોએ શહાદત વહોરી છે, શહીદ થતાં થતાં પણ પાકના નાપાક આતંકવાદીઓને મચક આપી નહોતી. કઠુઆના માચેડી એરિયામાં થયેલા આર્મી વાહન પર થયેલા આતંકી હુમલામાં 4 જવાન શહીદ થયાં છે. સેનાના 9 કોર્પ્સના અધિકારક્ષેત્રમાં આર્મીની ગાડી પર આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો, આતંકી હુમલા બાદ આતંકવાદીઓ ભાગી નીકળ્યાં હતા. છેલ્લા એક અઠવાડિયામાં જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોના મોટા સફાઈ અભિયાનમાં ઘણા આતંકીઓ માર્યાં ગયા છે તો સામે પક્ષે આતંકવાદીઓ પણ ભુરાયા થયાં છે અને આડેધડ હુમલાને અંજામ આપી રહ્યાં છે.

રાજૌરીમાં પણ આતંકી હુમલો

ગઈ કાલે રાજૌરીમાં ભારતીય સેનાના કેમ્પ પર આતંકી હુમલાનો મામલો સામે આવ્યો હતો. આ હુમલામાં સેનાનો એક જવાન ઘાયલ થયો હતો. આતંકીઓએ આર્મી કેમ્પ પર ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન એલર્ટ સુરક્ષા ચોકી પર તૈનાત સૈનિકે પણ આતંકીઓ પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના સમયે સેનાનો જવાન ઘાયલ થયો હતો. આતંકીઓ અંધારાનો ફાયદો ઉઠાવીને ભાગી જવામાં સફળ રહ્યા હતા.

Share

Related posts

ઝાલોદ અગ્રવાલ સમાજ મહિલા મંડળ દ્વારા શ્રાવણ માસ નિમિતે આશ્રમ શાળાની કન્યાઓને ભોજન પ્રસાદી આપી

gujaratjanekta

ગુજરાત ઈલેક્શન 2022 : મહીસાગરમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું

Admin

ઝાલોદ નગરમાં મહાકાળી મંદિર અને ખોડિયાર માતા મંદિરે નવરાત્રીની આઠમ નિમિતે હવન પૂજા કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial