Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણી ગામે તળાવમા ન્હાવા ગયેલ બે બાળકો ડૂબી જતાં મોત

પંકજ પંડિત ઝાલોદ.

ઝાલોદ તાલુકાના સરસવાણી ગામે તારીખ 13-06-2024 ના ગુરુવારના રોજ આસરે સવારે 11 વાગે બસ સ્ટેશન પાછળ આવેલ તળાવમાં ન્હાવા ગયેલ હતા. આ બંને બાળકો કલજી સરસવાણી ગામના મહુડી ફળીયામા રહેતા હતા. આ બંને બાળકો (1) ભવ્ય સુરેશ વસૈયા ઉ.વ 7 વર્ષ અને (2) શ્રુતિ હિંમત વસૈયા ઉ.વ 12 વર્ષ તળાવમાં ન્હાવા ગયેલ હતા આ બંને બાળકોનુ અચાનક તળાવમાં ડૂબી જતાં મોત થયેલ હતું. બાળકોના મોત થયાના સમાચાર સાંભળી આજુબાજુ રહેતા ગ્રામજનો ત્યાં ઉમટી પડેલ હતો. બંને બાળકોના મોત થતા તેના પરીજનોના આક્રંદ થી આખું વાતાવરણ ગમગીન બની ગયેલ હતું. આ ઘટનાની જાણ ઝાલોદ પોલીસ સ્ટેશનમાં પડતાં પોલીસ દ્વારા જાણવાજોગ નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Share

Related posts

પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ : શૂટર મનુ ભાકરે બ્રોન્ઝ જીતી રચ્યો ઈતિહાસ – જાણો વધુ

gujaratjanekta

કમલમમાં થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ વ્યવસ્થાના ભાગ રૂપે પક્ષના પ્રાથમિક સદસ્ય પદ પરથી રાજીનામું આપ્યું

Admin

રાજકોટ બનશે હનુમાનમય: ૨૭ થી ૧ જાન્યુઆરી સુધી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial