Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરના રાહગીરો રોડ પર ઉડતી ધૂળ થી હેરાન : રોડના ડિવાઇડર પર જામેલી ધૂળો સાફ કરવા માંગ કરાઈ

પંકજ પંડિત ઝાલોદ.

ઝાલોદ નગરમાં આવેલ બસ સ્ટેશન થી દાહોદ રોડ, બસ સ્ટેશન થી બાંસવાડા, ઠુંઠી રોડ થી હનુમાનજી મંદિર જતા રોડ પર ડિવાઇડર વાળો રોડ આવેલ છે. આ ડિવાઇડર રોડની બન્ને બાજુ ધૂળોનો કચરો મોટા પ્રમાણમાં જોવા મળે છે. અહીંથી નીકળતા વાહનો કે રાહગીરોને આ ઉડતી ઘુળોનો સામનો કરવો પડે છે. આ ધૂળની ઉડતા આવતા જતા રાહગીરોના આંખોમાં આવે છે તેથી અજાણ્યે ધૂળ ઉડીને આવતા અકસ્માતનો ભય પણ રહે છે. હાલમાં નગરમાં સુસવાટા મારતો પવન ફૂંકાય છે જેથી આ ઉડતી ધૂળો નગરજનોને વધુ હેરાન કરે છે વળી જો કોઈ વાવાઝોડું કે પવન ફૂંકાય તો રોડ પરની ધૂળો નગરજનોની દુકાનોમા પણ ભરાય છે. આ ઉડતી ધૂળો થી હેરાન નગરજનો તાત્કાલિક ડિવાઇડરની બંને બાજુ જામી ગયેલ ધૂળ સાફ કરવા માંગ કરી રહેલ છે.

Share

Related posts

દોઢ મહિનાથી વડોદરા ભાગીને આવેલ નેપાળી  યુવતીનું પુનઃ સ્થાપન બાળ કલ્યાણ સમિતિએ કરાવ્યું

gujaratjanekta

ઝાલોદ તાલુકાના ધાવડીયા તરફથી દારૃના જથ્થા સાથે અલ્ટો કાર પકડાઈ ચાલક ફરાર

gujaratjanekta

મતદાસ્યાદીનો ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમ સંદર્ભે તા.૧૭/૦૨/૨૦૨૬ ના રોજ આખરી મતદારયાદીની પ્રસિદ્ધિ.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial