Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના ચણાસર મુકામે અચાનક એક મકાનને આગ લાગતા 279000 નુકશાન

પંકજ પંડિત- ઝાલોદ.

ઝાલોદ તાલુકાના રણીયાર સરકારી ગ્રામ પંચાયત હેઠળ ડુંગર ફળિયામાં ચણાસરના રહીશ ભાભોર કસુભાઇ મલાભાઇના મકાનમા બુધવારના રોજ સાંજના સમય દરમ્યાન અચાનક આગ લાગવાથી ઘર બળી ગયેલ હતું. અચાનક આગ લાગતા આગ ઓલવવા માટે ઝાલોદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, તાત્કાલિક ફાયર બ્રિગેડ આવતા આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ આગની ચપેટમા આખું ઘર તેમજ ઘર તેમજ ઘરની સરસામાન ભસ્મીભૂત થઈ ગયેલ હતું. સદનસીબે આ આગની હોનારત કોઈ પશુધન કે વ્યક્તિને કોઈ જાનહાનિ થયેલ નથી
આ આગ લાગતા મકાનની અંદર થયેલ નુકશાનનો અંદાજો તલાટી દ્વારા કાઢવામાં આવેલ હતો આ મકાનમાં લાકડાના પાટ આઠ નંગ જેની અંદાજિત કિંમત 64000 , લાકડાની વળી 300 નંગ 45000 , વીલાયતી નળીયા 4000 નંગ 60000 , ધરની અંદર અનાજ તેમજ અન્ય ઘર વખરી 90000 , રોકડ રકમ 20000 થઈ કુલ 279000 રૂપિયાનું અંદાજીત નુકશાન થયેલ છે. આ મકાનને અચાનક આગ લાગતા આ અકસ્માતમાં થયેલ નુકશાન માટે તાલુકા વિકાસ અધિકારી તાલુકા ખાતે અરજી કરી મકાન માલિક દ્વારા વળતર માટે માંગણી કરવામાં આવેલ છે જેથી બે ઘર થયેલ વ્યક્તિને પોતાનું મકાન આવનાર સમયમાં જલ્દી મળી જાય તે માટે અરજી કરી માંગ કરવામાં આવેલ છે.

Share

Related posts

મધ્યપ્રદેશના હલકી મનોવૃત્તિના IAS અધિકારી સંતોષ વર્માના બ્રહ્મસમાજ વિરુધ્ધના બોલાયેલા હલકટ શબ્દો સામે ગુજરાત બ્રાહ્મણ સમાજ વતી આકરો રોષ વ્યક્ત કરતા સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના પ્રમુખ શૈલેશ ઠાકર – જાણો વધુ

gujaratjanekta

ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે નવીન યશોઘરા આર્ટ્સ, કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજનુ ડૉ હરિભાઈ.આર.કટારીયા અને સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે ઉદ્ઘાટન કરાયું

gujaratjanekta

ઝાલોદ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસમાં વિવિધ ધાર્મિક આયોજન અંગે સોમનાથ મહાદેવ મંદિર સમિતિની બેઠક યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial