Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ મામલતદાર કચેરીમાં ૭/૧૨ અને ૮/અ ની નકલ મેળવવા આમ જનતાને હાલાકી

પંકજ પંડિત ઝાલોદ

કચેરીનો સંપર્ક કરાતા આખાં ગુજરાતમાં ટેકનિકલ ખામીને લઈ નકલો નથી નીકળતી એવું જાણવા મળ્યુંઝાલોદ મામલતદાર કચેરી ખાતે ૭/૧૨ અને ૮/અ ની નકલ મેળવવા આવનાર જાહેર જનતાને છેલ્લા બાર થી પંદર દિવસથી ભારે હાલાકી ભોગવવી પડી રહેલ છે. ગ્રામીણ વર્ગના લોકો સવારથી મામલતદાર કચેરી ખાતે આ નકલો લેવા આવી જતાં હોય છે. છેલ્લા બાર થી પંદર દિવસ થી સર્વરમાં ટેકનિકલ ખામીને લીધે આખાં ગુજરાતમાં આ સમસ્યા છે તેવું અહીં તપાસ કરતા માલુમ પડેલ છે. પણ જો જવાબદાર અધિકારી તંત્રનો સંપર્ક સાધી ટેકનિકલ ખામી ક્યારે દૂર થશે એની જો ચોક્કસ તારીખ જાહેર નોટિસમાં મૂકી દે તો આવનાર ગ્રામીણ પ્રજાને પોતાની મજૂરીના રૂપિયા વ્યર્થ બગાડવા ન પડે. આ અંગે તાત્કાલિક જવાબદાર તંત્ર આ અંગે ધ્યાન આપે તો ગ્રામીણ વિસ્તાર માંથી આવતી ગરીબ પ્રજાના રૂપિયા ન બગડે.

Share

Related posts

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ એસ.આર.કડકિયા સ્કૂલ ઓફ નર્સિંગ અર્બન હોસ્પિટલ રળિયાતી ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

રાજકોટ બન્યું ઉડતા પંજાબ: ડ્રગ્સના કારોબાર કરતા બે મિત્ર વચ્ચે ડખા થતાં એક મિત્રનો બીજા મિત્ર પર જીવલેણ હુમલો

Admin

ઈરાની સેનાની બેશરમી, મહિલાઓના ચહેરા, સ્તન અને પ્રાઈવેટ પાર્ટ પર મારી રહી છે ગોળી

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial