Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરના ભરત ટાવર થી નગરપાલિકા વિસ્તાર સુધી રોડનું નવીનીકરણ કરણ થતાં સ્થાનિક રહેવાસીઓનો વિરોધ

પંકજ પંડિત- ઝાલોદ

સ્થાનિક રહેવાસીઓના કહ્યાં મુજબ રોડની કાયદેસર માપણી કરી રોડનું નવીનીકરણ કરવાની માંગ

ઝાલોદ નગરના ભરત ટાવર વિસ્તાર થી નગરપાલિકા સુધી નવાં બની રહેલ રોડ અંગે ત્યાં વસવાટ કરતા સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિક વસવાટ કરતા રહેવાસીઓની માંગ છે કે આ રસ્તો પહેલા પહોળો હતો સમયાંતરે આ રોડ પર દબાણ વધતા આ રોડ સાંકડો થઈ ગયેલ છે. પરિણામે અહીંયાથી વાહન અવરજવર કરવામાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણી વાર આ વિસ્તારમાં આવતા ઇમરજન્સી મેડીકલ એમ્બ્યુલન્સ જેવા વાહન પણ અટવાઈ જાય છે.
આ વિસ્તારના રહેવાસીઓની માંગ છે કે ભરત ટાવર થી ખેલ મેદાન સુધીના રસ્તાની માપણી કરી નવો રસ્તો બનાવવામાં આવે. માપણી વગર જો રસ્તો બનાવવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી હતી. આ અંગે નગરના ચીફ ઓફિસર હઠીલા સાથે વાત કરતા તેમણે રોડ કાયદેસર રીતે માપણી કરી બનાવી આપવાની બાંહેધરી સ્થાનિકોને મૌખિક રીતે આપી હતી.
અહીંયાં વસનાર સ્થાનિક દુકાનદારો પણ આ વિશે નગરપાલિકાને સહયોગ આપતા કહી રહેલ છે કે રોડ પહોળો કરવા માટે ફક્ત આ વિસ્તાર સિવાય નગરના દરેક વિસ્તારની કાયદેસર માપણી કરી રોડ પહોળો કરે. માપણી કરીને ફક્ત એક વિસ્તાર માટે લાગુ ન કરી નગરપાલિકા નગરના દરેક વિસ્તારને આવરી કાયદેસર માપણી કરી દબાણો દૂર કરી રોડ પહોળા કરે તેવો અભિપ્રાય લોકો આપતા જોવા મળી રહેલ હતા.

Share

Related posts

દાહોદ જિલ્લા આર.ટી.ઓ , ટ્રાફિક વિભાગ , ઝાલોદ પોલિસ, એસ.ટી ડેપો વિભાગના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક વાહન ચેકીંગ સાથે ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ

gujaratjanekta

સંજેલી તાલુકા માં આવેલ ચમારીયા ગામે ચિબોટા નદી (રાખીયા)પુલ પાસે ઝાડીમાં બે પ્રેમી પંખીડાઓ ની લાશ મળી આવતા સંજેલી પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો

gujaratjanekta

બિલકિસ બાનો કેસ : સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને 2 સપ્તાહનો આપ્યો સમય – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial