Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ઝાલોદ નગરમાં ડૉ બાબાસાહેબ આંબેડકર નિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ આપવામાં આવી

પંકજ પંડિત ઝાલોદ

આજરોજ તારીખ 06-12-2023 ના રોજ આંબેડકર ચોક પર ડૉ ભીમરાવ આંબેડકરની 67 મી પુણ્યતિથિએ તેમની પ્રતિમાને ફૂલહાર પહેરાવી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

દર વર્ષે 06 ડિસેમ્બરે, ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અને સન્માન આપવા માટે મહાપરિનિર્વાણ દિવસ ઉજવવામાં આવે છે. ડૉ. ભીમરાવ આંબેડકર, જેમને આપણે બધા ડૉ. બાબાસાહેબ આંબેડકરના નામથી પણ જાણીએ છીએ. ડૉ.આંબેડકરને બંધારણના પિતા કહેવામાં આવે છે. 06 ડિસેમ્બર 1956ના રોજ તેમનું અવસાન થયું. દર વર્ષે 06 ડિસેમ્બરે બાબા સાહેબની પુણ્યતિથિને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આ દિવસ મનાવવા પાછળનું કારણ બાબા સાહેબને આદર અને શ્રદ્ધાંજલિ આપવાનું છે
ઝાલોદ નગરમાં ડૉ ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે મોટા પ્રમાણમાં લોકો આવેલ હતા જેમાં વિશેષમાં દાહોદ જિલ્લા ભાજપ એસ.સી.મોરચા પ્રભારી ભરત શ્રીમાળી, મૂકેશ ડામોર, ટપુ વસૈયા, અલ્કેશભાઈ, શનિલાલ ભૂનાતર, સંતોષ ભગોરા તેમજ ભાજપ એસ.સી મોરચાની ટીમ ઉપસ્થિત રહી બાબા સાહેબ અમર રહોના નારા સાથે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

Share

Related posts

PHC થેરકા ખાતે જન આરોગ્ય સમિતિની મીટીંગ યોજવામાં આવી

gujaratjanekta

સંજેલી તાલુકાના હીરોલા ગામના વિદ્યાર્થી સરદાર પટેલ યુનિવર્સિટીમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી પસંદ થતા સંજેલીનો ગૌરવ વધાર્યું..

Admin

આદિવાસી ઉચ્ચતર માધ્યમિક શાળા છાલોરના શિક્ષક નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો છાલોર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તેરસિંગભાઈ પારગીને અધ્યક્ષતામાં વિદાય સમારંભ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial