નવા વર્ષના દિવસે દાહોદ ઝોનમાં નિરંકારી મિશન દ્વારા વિશાલ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું
આજ રોજ દાહોદ જિલ્લાના અનાસ ગામમાં સંત નિરંકારી મિશનના દાહોદ ઝોનમાં વિશાલ નિરંકારી સત્સંગનું આયોજન કરવામાં આવ્યું,
જેમાં દાહોદ ,પંચમહાલ ,મહીસાગર, છોટાઉદેપુર ,ચાર જિલ્લાના 8000 જેટલા બ્રહ્મ ઋષિ સંત સત્સંગમાં ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમમાં રાજસ્થાની,સિંધી, મરાઠી ,ગુજરાતી,ભાષાના માધ્યમથી સંત નિરંકારી મિશનનો સંદેશ આપતા બજન પ્રસ્તુત કર્યા હતા
સત્સંગમાં સદગુરૂ માતા સુદિક્ષા જી મહારાજનો આશીર્વાદ લઈને દિલ્હીથી પધારેલ શ્રીમાન એસ એલ ગરગજી મહારાજની અધ્યક્ષતામાં આ સંત સમાગમ કરવામાં આવ્યો
જેમાં દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ શ્રીમાન ભુપેન્દ્રભાઈ જી,સત્સંગ માં આવેલા બ્રહ્મ ઋષિ સંતો તથા દાહોદ ના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીજી સન્માન કર્યું હતું.દિલ્હીથી પધારેલ શ્રીમાન એસ એલ ગરગ જી એમના પ્રવચનોમાં સદગુરુ નું સંદેશ આપતા કીધું કે નિરંકારી મિશન નું કાર્ય છે જાતિ પાથી ના જોતા માનવને પ્રભુ પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે નિરંકારી મિશનનો જ્ઞાન પ્રદાન કરે છે આ સંત નિરંકારી મિશન માત્ર દાહોદ જિલ્લામાં નહીં દેશ વિદેશોમાં એમનો ફેલાવ છે દેશમાં પણ 3,000 થી વધારે સંત નિરંકારી મિશનની બ્રાન્ચો છે જેમાં માનવતાના કાર્ય થાય છે માનવતાની સેવા જેમાં બ્લડ ડોનેશન કેમ્પ તથા વૃક્ષારોપણ તથા સફાઈ અભિયાન જેવા કાર્ય મિશન દેશને સરકાર ની ગાઈડલાઇન્સ નો પાલન કરીને કરે છે સત્સંગ કાર્યક્રમ પછી દૂર દૂર છે સંતો આયા હતા એમના માટે લંગર પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

