Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પાંચ વર્ષમાં ગરબાડા નો નંબર વન વિકાસ કરીશું – ગૃહ મંત્રી અમિત શાહ

કેતન ભટ્ટ – બ્યુરો ચીફ

ગરબાડાના નવા ફળિયા હેલિપેડ ખાતે આજે દેશના ગૃહમંત્રી અમિત શાહ એ ચૂંટણી પ્રચાર અર્થે સભાને સંબોધિત કરી હતી. આ પ્રસંગે પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ૧૩૩ ગરબાડા વિધાનસભા જંગી બહુમતી સાથે ગરબાડા નું કમળ ગાંધીનગર મોકલવાનો સંકલ્પ લીધો હતો. ગૃહ મંત્રી દ્વારા પોતાના વક્તવ્યમાં સૌપ્રથમ સૌને રામરામ કર્યા હતા અને ધમધખતા તાપમા ભાજપ માટે બેસવું એ મોટી વાત છે તેમ કહી સૌને બિરદાવ્યા હતા. ૧૫ નવેમ્બરને બિરસા મુંડાની જન્મદિવસની આદિવાસી ગૌરવ દિવસ મનાવવાની શરૂઆત ભાજપે કરી હતી અને સાથે સાથે દસ સ્વતંત્ર સેનાનીઓના યાદમાં ૧૦ રાજ્યોમાં ૨૦૦ કરોડના ખર્ચે સંગ્રહાલય પણ બનાવવામાં આવશે તેવું તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું તેમને કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ૬૦ વર્ષ સુધી વોટ લીધા પણ આદિવાસીઓને સમાજનું સન્માન ન કર્યું ભાજપ એ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવી ૮.૫ કરોડ આદિવાસીઓનું સન્માન કર્યું. કાર્યકરોને પહેલી જાન્યુઆરી ૨૦૨૪ એ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની જશે તેના દર્શન માટે ટિકિટ બુક કરાવવાનું પણ જણાવ્યું હતું. ગરબાડા વિધાનસભામાં ત્રણ ટર્મથી કોંગ્રેસ જીતે છે તેને હરાવી આ વખતે ભાજપનો ઉમેદવાર જીતશે તો ગરબાડાનો નંબર વન વિકાસ ૫ વર્ષ માં કરીશું તેવી ખાતરી આપી હતી. કલાકો સુધી દેશના ગૃહ મંત્રીને સાંભળવા કાર્યકરો અને મતદારો ધમધખતા તાપ મા રાહ જોઈને બેસી રહ્યા હતા ત્યારે ત્યારે ગૃહ મંત્રીએ માત્ર ૧૭ મિનિટમાં જ તેમનું વક્તવ્ય પૂર્ણ કર્યું હતું અને ધમધકતા તાપમાન માં બેસવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

 

Share

Related posts

દાહોદ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષપદે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

ગોધરાના ઇતિહાસમાં પહેલીવાર બ્રહ્મ યુવાધન દ્વારા બીફોર નવરાત્રી યોજાઇ : જુઓ VIDEO

gujaratjanekta

ફતેપુરા તાલુકાના રૂપાખેડા ગામની પરિણીતાના હાથની મહેંદી ભુસાય તે પહેલા શંકાસ્પદ મોત થતા પિયરીયાઓ દ્વારા હત્યાનો આક્ષેપ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial