સંકેત પંડ્યા – એડિટર
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના ઇ. સી મેમ્બર તેમજ શ્રીમતી માલિની કિશોર સંઘવી હોમિયોપેથીક મેડીકલ કોલેજ કરજણમાં ડાયરેક્ટર અને પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા ડો. હિતેશ જી પુરોહિતની હોમિયોપેથીક સાયન્સમાં કરેલ ઉત્કૃષ્ટ કામગીરી અને તેમને આપેલા ફાળા બદલ મિનિસ્ટ્રી ઓફ આયુષ: નવી દિલ્હી ,ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા નેશનલ કમિશન ઓફ હોમિયોપેથીક માં સભ્ય તરીકે નિમણૂંક કરાતા સમગ્ર યુનિવર્સિટીએ તેમને વધાવી લીધા છે .

આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડો.પ્રતાપસિંહજી ચૌહાણ સહિત કોમર્સ કોલેજ ગોધરાના પ્રિન્સિપાલ તથા PO ડો અરુણસિંહ સોલંકી તથા વિવિધ કોલેજોના પ્રિન્સિપાલ શ્રીઓ, પ્રોફેસર શ્રીઓ , સ્ટાફ તથા તેમના પરિવારજનોએ હર્ષ અને આનંદની લાગણી અનુભવી છે .ડો પૂરોહિત હજુ વધુ પ્રગતિ ના શિખરો સર કરી સમગ્ર યુનિવર્સિટીનું અને સમાજનું નામ રોશન કરેલ તેવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવેલ છે.

