પંકજ પંડિત
ઝાલોદ એમ.જી.વી.સી.એલ લાઇટ બિલ ન ભરતા તેત્રીસ ગ્રાહકો પર ત્રાટકીપોલિસની મદદ લઇ લાઈટબિલ ન ભરતા ગ્રાહકોના મીટર લઈ જવામાં આવ્યાઝાલોદ એમ.જી.વી.સી.એલ અવારનવાર લાઇટ બિલ ન ભરતાં ગ્રાહકો પાસે જઈ બિલ ભરાવવા પ્રયત્ન કરતી રહે છે. ઝાલોદ નગરમાં લાઇટ બિલ ન ભરતાં ગ્રાહકોનું લિસ્ટ મોટું છે તે અન્વયે આજરોજ 27-03-2025 ગુરુવારના રોજ ઝાલોદ એમ.જી.વી.સી.એલના મેનેજર વસૈયાના સીધા આદેશથી ખાંટવાડા વિસ્તાર અને સાંઈ મંદિર પાસેના કુલ તેત્રીસ ગ્રાહકો પાસેથી અંદાજીત ત્રણ લાખ ત્રેસઠ હજારની લેણી નીકળતી રકમ માટે પોલીસના સહયોગથી લાઈટ બિલ લેવા ગયા હતા અને જો ગ્રાહક સ્થળ પર લાઈટ બિલ ન ભરે તો તૈયારીમાં લાઈટના થાંભલા પર થી લાઈટ કનેક્શન કાપી મીટર લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ઝાલોદ એમ.જી.વી.સી.એલની ટીમ દ્વારા આજરોજ તેત્રીસ ગ્રાહકો પાસે લાઈટ બિલના નાણાં લેવા જતા ચૌદ ગ્રાહકોએ લાઈટ બિલના નાણાં ભર્યા હતા તેમજ ઓગણીસ ગ્રાહકોએ નાણા ન ભરતાં તેઓનુ વીજ કનેકશન કાપી નાંખી મિટર લઈ જવામાં આવ્યા હતા. આગામી દિવસોમા એમ.જી.વી.સી.એલ કંપની અન્ય વિસ્તારોમાં પણ લાઈટ બિલ અંગે ઉઘરાણી કરવા નીકળનાર છે.ઝાલોદ નગરમાં એમ.જી.વી.સી.એલના અંદાજીત આઠ હજાર જેટલા ગ્રાહકો છે. ઝાલોદ નગરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવેલ છે તેમજ હાલ એક હજાર ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર નાંખી પણ દેવામાં આવેલ છે.

